Prohibition/ સુરેન્દ્રનગર જીલ્લામાં સાંજે 6 થી સવારનાં 6 વાગ્યા સુધી રેતીનાં વેચાણ અને હેરાફેરી પર પ્રતિબંધ

રાત્રીના સમયે થતાં રેતીના વેચાણ થવાના કારણે રેતી સ્ટોક પરવાનો ધરાવનાર પરવાનેદાર ગામ લોકો સાથે સંધર્ષમાં ઉતરવું પડે છે નાગરિકો દ્વારા રેતીના લીઝ હોલ્ડર/રેતી સ્ટોક પરવાનેદાર

Gujarat Others
WhatsApp Image 2020 12 29 at 5.24.00 PM સુરેન્દ્રનગર જીલ્લામાં સાંજે 6 થી સવારનાં 6 વાગ્યા સુધી રેતીનાં વેચાણ અને હેરાફેરી પર પ્રતિબંધ

@સચીન પીઠવા, મંતવ્ય ન્યૂઝ –  સુરેન્દ્રનગર…

સુરેન્દ્રનગર જિલ્લાના તથા અન્ય જિલ્લાના ઈસમો દ્વારા ગેરકાયદેસર રીતે રેતીના વહનના કારણે જાહરે અવર-જવર કરતી વ્યક્તિ, પશુઓ વિગેરેને અકસ્માત થવાના પ્રસંગો બનતા હોઈ, સુરેન્દ્રનગર જિલ્લાના રેતીના ખનન કરનારા પરવાનાદારોના ડમ્પર, ટ્રક વિગેરે વાહનો દ્વારા રેતીની હેરફેર જિલ્લાના મુખ્ય હાઈવે તેમજ કાચા પાકા રસ્તાઓ થકી થાય છે. જેના કારણે રાત્રીના અકસ્માતોના બનાવો વધવા પામેલ છે સુર્યોદય થતા પહેલા અને સુર્યાસ્ત થયા બાદ રેતી ખનન ઉપર કાયદાથી પ્રતિબંધ મુકવામાં આવેલ છે.

રાત્રીના સમયે થતાં રેતીના વેચાણ થવાના કારણે રેતી સ્ટોક પરવાનો ધરાવનાર પરવાનેદાર ગામ લોકો સાથે સંધર્ષમાં ઉતરવું પડે છે નાગરિકો દ્વારા રેતીના લીઝ હોલ્ડર/રેતી સ્ટોક પરવાનેદાર સાથે અવાર-નવાર ધર્ષણ થતું હોવાની રજુઆતો/ફરિયાદો પણ કરવામાં આવે છે. રાત્રીના સમયે રેતીનું વેચાણ થવાથી અંધારાનો લાભ લઈ ગેરકાયદેસર રેતી વહનની પ્રવૃત્તિને ઉત્તેજન મળે છે. જેથી ગેરકાયદેસર રેતીનું વહન અટકે, જાહેર શાંતી અને સલામતી જોખમાય નહીં તેમજ રસ્તાઓમાં અકસ્માત ન થાય તે માટે જાહેર જનતાના હિતમાં સુરેન્દ્રનગર જિલ્લામાં રાત્રીના સમયે રેતી સ્ટોકનો પરવાનો ધરાવનાર દ્વારા થતા રેતીના વેચાણ ઉપર નિયમન કરવું જરૂરી જણાય છે.

સુરેન્દ્રનગર અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ ભરત જોષીએ ગુજરાત પોલીસ અધિનિયમ અન્વયે તેમને મળેલ સત્તાની રૂએ આ જાહેરનામામાં જણાવ્યા મુજબ તા.૦૪-૦૧-૨૦૨૧ સુધી સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લાના વિસ્તારમાં સાંજના ૧૮-૦૦ કલાકથી સવારના ૬-૦૦ કલાક સુધી રેતીનું વેચાણ/રેતીના ટ્રક, ટ્રેકટર, ડમ્પર વગેરે વાહનો કે અન્ય રીતે હેરાફેરી ઉપર પ્રતિબંધ ફરમાવેલ છે તથા ગુજરાત માઈન્સ એન્ડ મિનરલ એક્ટ અન્વયે રેતી ખનન સમયે તેમજ અન્ય તમામ કાયદા/નિયમોનું ચુસ્તપણે પાલન કરવા જણાવાયું છે.

આ જાહેરનામાનો ભંગ કરનાર અથવા ઉલ્લંધન કરનાર અથવા કરાવનાર શખ્સ ગુજરાત પોલીસ અધિનિયમની હેઠળ ત્રણ માસ સુધીની કેદની સજા થઈ દંડને પાત્ર થશે. આ હુકમ અન્વયે સુરેન્દ્રનગર જિલ્લામાં ફરજ બજાવતા પોલીસ સબ ઈન્સ્પેક્ટર કે તેનાથી ઉચ્ચ હોદ્દા ધરાવનાર તમામ અધિકારીઓને આ જાહેરનામાનો ભંગ કરનાર ઈસમો સામે ગુજરાત પોલીસ અધિનિયમ મુજબ ફરિયાદ માટે અધિકૃત કરવામાં આવે છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…