ગુજરાત/ કિસાન આંદોલને સાબિત કર્યું કે સરકાર ઉપર લોકતંત્ર છે : ધારાસભ્ય વિરજી ઠુમર

 સરકારના મંત્રીઓ તથા ગોદી મીડિયાએ આંદોલનકારી કિસાનોને મવાલી, ખાલિસ્તાની, દેશદ્રોહી, હિંસાવાદી, નકલી કિસાન, અરાજકતાવાદી, આતંકવાદી, આંદોલનજીવી વગેરે શબ્દોથી સતત બદનામ કર્યા હતા. આંદોલન સ્થળોએ સત્તાપક્ષે ગુંડાઓ મોકલ્યા હતા.

Gujarat Others
mundra કિસાન આંદોલને સાબિત કર્યું કે સરકાર ઉપર લોકતંત્ર છે : ધારાસભ્ય વિરજી ઠુમર

વડાપ્રધાન મોદીએ ત્રણ કૃષિ બિલ પરત લેવાની જાહેરાત કરી છે. જે નિર્ણયને તમામ લોકોએ આવકાર્યું છે. ત્યારે લાઠી- બાબરાના ધારાસભ્ય વીરજી ભાઈ ઠૂમરે પ્રતિક્રિયા આપી. મહત્વનું છે કે છેલ્લા ઘણાં સમયથી ખેડૂતો વિરોધ નોંધાવી રહ્યા હતા.

  • કૃષિ કાયદાઓ પરત લેવાની જાહેરાત
  • કાયદાઓ પરત લેતા ધારાસભ્યની પ્રતિક્રિયા
  • ધારાસભ્ય વિરજી ઠુમરે ખેડૂતોને અભિનંદન પાઠવ્યા

લાઠીના ધારાસભ્ય વીરજી ભાઈ ઠૂમરે જણાવ્યુ હતું કે કિસાન આંદોલનો વિજય થયો છે. આખરે એક વરસના અંતે 19 નવેમ્બર 2021ના રોજ વડાપ્રધાને ત્રણ કૃષિ કાનૂનો પરત ખેંચવાની જાહેરાત કરી છે.  સરકારના મંત્રીઓ તથા ગોદી મીડિયાએ આંદોલનકારી કિસાનોને મવાલી, ખાલિસ્તાની, દેશદ્રોહી, હિંસાવાદી, નકલી કિસાન, અરાજકતાવાદી, આતંકવાદી, આંદોલનજીવી વગેરે શબ્દોથી સતત બદનામ કર્યા હતા. આંદોલન સ્થળોએ સત્તાપક્ષે ગુંડાઓ મોકલ્યા હતા. કિસાનોને હિંસા માટે ઉશ્કેરવામાં આવ્યા હતા. મહિલાઓના ટોઈલેટ છીનવી લીધાં હતા.  ટેન્ટ ઉખાડી નાંખ્યાં હતા. તો  રસ્તાઓ ઉપર ખીલાઓ ખોડ્યા-બેરિકેડની હારમાળા ઊભી કરી હતી.  700થી વધુ કિસાનો શહીદ થઈ ગયા હતા.  કિસાન નેતાઓનું ચરિત્ર હનન કર્યું.  આખરે અન્નદાતાઓ ઉપર જુલમ ગુજારવાથી વડાપ્રધાનને શું મળ્યું? દુખની બાબત એ છે કે વડાપ્રધાનને એક વરસે સમજ આવી છે કે કોર્પોરેટ મિત્રોથી ઉપર લોકતંત્ર છે.  કિસાન આંદોલનકારીઓની બીજી મહત્વની માંગણી ‘MSP-મિનિમમ સપોર્ટ પ્રાઈસ’ની ‘કાનૂની ગેરંટી’ની છે; તે માંગ પણ સ્વીકાર્યા વિના છૂટકો નથી !

આ વિજય માત્ર દેશના કિસાનોનો નથી. પરંતુ શ્રમિકોનો/ દલિતો/ લધુમતીઓનો/ સ્વતંત્ર પત્રકારો/ બંધારણીય મૂલ્યોનો/ અહિંસક લડતનો વિજય છે. આ વિજય, અહંકારી, ક્રૂર, સીલેક્ટેડ કોર્પોરેટ મિત્રોની સરકાર સામે દેશના લોકોનો છે. સવાલ એ છે કે એક વરસથી ગોદી મીડિયા ત્રણ કૃષિ કાનૂનોના ફાયદા ગણાવતા થાકતું નહતું.  હવે તેમનું મોં કઈ રીતે ખૂલશે?

કિસાન આંદોલને એ સાબિત કર્યું છે કે સરકાર ઉપર લોકતંત્ર છે ! 15 ઓગષ્ટ 1947ના રોજ મળેલ આઝાદી અને 26 નવેમ્બર 1949ના રોજ ભારતની બંધારણ સભાએ ભારતના બંધારણને સ્વીકારી, 26 જાન્યુઆરી, 1950ના દિવસે તેને અમલમાં મૂક્યું હતું; તેની આ જીત છે !

વર્લ્ડ મીડિયા / કૃષિ કાયદાના પરત ખેચતા વિશ્વ મીડિયાએ કહ્યુ,- PM મોદી નરમ પડ્યા, સરકાર ઝૂકી

ડ્રગ્સ વેચતી ટોળકી ઝડપાઈ / અમેરિકાથી ડ્રગ્સ મંગાવી વિદ્યાર્થીઓને વેચતી ટોળકી ઝડપી થયો પર્દાફાશ

ગુજરાત / CBIનો સપાટો, અમદાવાદની આ બેન્કના રિજીયોનલ હેડ CBIના સકંજામાં