આમ આદમી પાર્ટીના નેતૃત્વવાળી પંજાબ સરકારના મુખ્યમંત્રી ભગવંત માને રાજ્યના 184 લોકોની VIP સુરક્ષા પાછી ખેંચી લીધી છે. જેમાં પૂર્વ મુખ્યમંત્રીઓ, પૂર્વ મંત્રીઓ સહિત ઘણા ધારાસભ્યોનો સમાવેશ થાય છે, જેમને પંજાબ સરકાર દ્વારા ખાનગી સુરક્ષા આપવામાં આવી હતી. આ નેતાઓ સાથે 200થી વધુ પોલીસકર્મીઓ તૈનાત હતા. અકાલ તખ્તના પૂર્વ જથેદાર, પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ, ગુરદર્શન બ્રાર, આઈપીએસ ગુરદર્શન સિંહ અને ઉદયબીર સિંહ (ભૂતપૂર્વ કેબિનેટ મંત્રી સુખજિંદર સિંહ રંધાવાના પુત્ર) અને પૂર્વ મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્ની અને તેમના પરિવારના સભ્યોને પણ વીઆઈપી સુરક્ષા મળી છે. જેને હવે પંજાબની ભગવંત માન સરકારે હટાવી દીધી છે.
આ સાથે પંજાબ સરકારે પૂર્વ કેબિનેટ મંત્રીઓ સુરજીત સિંહ રાખડા અને બીબી જાગીર કૌર, તોતા સિંહ (શિરોમણી અકાલી દળ મોગા), પૂર્વ કોંગ્રેસ સાંસદ વરિન્દર સિંહ બાજવા, સંતોષ ચૌધરી અને કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય દીપ મલ્હોત્રાની સુરક્ષા પાછી ખેંચી લેવાનો પણ આદેશ આપ્યો છે.
ભાજપના નેતાઓની સુરક્ષા હટાવી દેવામાં આવી છે
પંજાબ સરકારના આદેશથી ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ રાજેશ બગ્ગા, ભાજપના સ્ટાર પ્રચારક માહી ગિલ, ભાજપના જિલ્લા અધ્યક્ષ હરિન્દર સિંહ કોહલીના સુરક્ષા કર્મચારીઓને પણ હટાવી દીધા છે. સુપ્રિમ કોર્ટ અને હાઈકોર્ટના વિશેષ આદેશો પર પંજાબ સરકારે માત્ર એ લોકો પાસેથી સુરક્ષા હટાવી નથી જેમને પંજાબ સરકારે સુરક્ષા પૂરી પાડી હતી. આપને જણાવી દઈએ કે આ પહેલા 12 માર્ચે પણ પંજાબના મુખ્યમંત્રી ભગવંત સિંહ માનએ 122 સાંસદો અને ધારાસભ્યોની વીઆઈપી સુરક્ષા હટાવી દીધી હતી.
આ પણ વાંચો:ભારતમાં મુસ્લિમોની સ્થિતિને લઈ બ્રિટનના સાંસદે મુસ્લિમ સ્કોલરે આપ્યો જવાબ, જાણો શું કહ્યું…
