Prayagraj/ રાહુલ,અખિલેશની રેલીમાં થઈ નાસભાગ, ભીડે તોડ્યા  પોલીસના બેરીકેટ 

રવિવારે યુપીના પ્રયાગરાજ જિલ્લાના ફૂલપુરમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવની સંયુક્ત ચૂંટણી સભામાં ભારે હોબાળો થયો હતો.

India Top Stories

Prayagraj News: રવિવારે યુપીના પ્રયાગરાજ જિલ્લાના ફૂલપુરમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવની સંયુક્ત ચૂંટણી સભામાં ભારે હોબાળો થયો હતો. બંને નેતાઓની નજીક જવાની કોશિશ દરમિયાન મીટિંગમાં એકઠી થયેલી ભીડ કાબૂ બહાર ગઈ હતી. ભીડને કાબૂમાં લેવા પોલીસ આગળ વધી ત્યારે ટોળાએ બેરિકેડ તોડી નાખ્યા હતા. હંગામો અને અરાજકતાને કારણે બંને નેતાઓએ ભાષણ આપ્યા વિના જ ત્યાંથી પરત ફરવું પડ્યું હતું. હંગામા દરમિયાન તોડફોડ અને મારામારી પણ થઈ હતી.

પ્રયાગરાજ જિલ્લામાં બે સંસદીય મતવિસ્તાર છે, ફૂલપુર અને અલ્હાબાદ. રવિવારે બંને સંસદીય ક્ષેત્રોમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવની સંયુક્ત ચૂંટણી બેઠક હતી. ફુલપુરની પંડિલા સભામાં હંગામો અને નાસભાગના કારણે બંને નેતાઓને કંઈ પણ બોલ્યા વગર પરત ફરવું પડ્યું હતું. બાદમાં બંને નેતાઓ અલ્હાબાદ સંસદીય ક્ષેત્રના મુંગારીમાં આયોજિત બેઠકમાં પહોંચ્યા હતા. અહીં રાહુલ ગાંધીએ કહ્યું, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 22 લોકોને અબજોપતિ બનાવ્યા, અમે કરોડો લોકોને કરોડપતિ બનાવવાના છીએ.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:અટાલા મસ્જિદ કે મંદિર? 22મીએ થશે સુનાવણી, જાણો શું છે આખો વિવાદ

આ પણ વાંચો:કોણ છે ભારતીય પાયલોટ ગોપીચંદ? આજે અંતરિક્ષની યાત્રા કરીને રચશે ઇતિહાસ, 40 વર્ષ પછી થશે આવું

આ પણ વાંચો:પુત્રને બચાવવા માટે મહિલાએ પતિને આપ્યુ ભયાનક મોત…