કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને કોરોના કેસ અને દેશના ઘણા રાજ્યોમાં કોરોના રસીની અછતની સમસ્યા વિશે પત્ર લખ્યો છે. આ સમસ્યામાંથી બહાર આવવા માટે તેમણે પોતાની તરફથી કેટલાક સૂચનો આપ્યા છે. આ સાથે તેમણે અન્ય દેશોને પણ રસી આપવા અંગે પ્રશ્નો ઉભા કર્યા છે.
તેમણે તેમના પત્રમાં લખ્યું છે કે સમજી શકાયું નથી કે જ્યારે આપણા જ દેશના લોકો રસીના અભાવ સાથે સંઘર્ષ કરી રહ્યા છે, તો પછી આપડે અન્ય દેશોને કેમ રસી આપી રહ્યા છીએ. 6 કરોડથી વધુન રસી ડોઝની નિકાસ કરવામાં આવ્યા છે.
તેમણે કહ્યું કે આ નિર્ણય સરકારના અન્ય નિર્ણયોની જેમ ઓવરસાઇટ નિર્ણય છે કે પછીઆપણા દેશવાસીઓના જીવનને જોખમમાં મૂકીને પ્રસિદ્ધિ મેળવવાનો પ્રયાસ છે?
કેન્દ્ર સરકારને અપાયા આ સૂચનો
- રાહુલ ગાંધીએ કહ્યું – રસીની અછતને પહોંચી વળવા માટે રસી સપ્લાય કરનારાઓને જરૂરી સંસાધનો આપવાની જરૂર છે.
- અન્ય દેશોમાં રસી નિકાસ કરવા પર તાત્કાલિક પ્રતિબંધ હોવો જોઈએ.
- રસીકરણની ઝડપી ટ્રેક મંજૂરી
- રસીકરણની પ્રક્રિયા જેમને જરૂરી છે તે બધાને ઉપલબ્ધ કરાવવી.
આ પહેલા રાહુલ ગાંધીએ ટ્વીટ કર્યું હતું કે કેન્દ્ર સરકારે પક્ષપાત વિના રાજ્યોની મદદ કરવી જોઈએ. તેમણે ટ્વીટ કરીને લખ્યું કે, “વધતા કોરોના સંકટમાં રસીનો અભાવ એ ખૂબ ગંભીર સમસ્યા છે, ‘ઉજવણી’ નહીં – આપણા દેશવાસીઓને જોખમમાં મૂકીને રસી નિકાસ શું યોગ્ય છે?” કેન્દ્ર સરકારે પક્ષપાત વિના તમામ રાજ્યોની મદદ કરવી જોઈએ. આપણે બધાએ સાથે મળીને આ મહામારીને હરાવવી પડશે.”
આ પણ વાંચો :કૃષ્ણનગરમાં આવેલી અંકુર સ્કૂલમાં લાગી ભીષણ આગ, બાળકો ફસાયા
આ પણ વાંચો :આપના ગાંધીનગર વોર્ડ નંબર ૩ના પ્રમુખ સાથે ભાજપના ઉમેદવારોની ગુંડાગીરી, કલેકટર કચેરીમાં જ માર્યો માર