રાજકોટ,
રાજકોટ જિલ્લાના પડઘરી તાલુકાની આત્મીય વિધાસંકુલમાં તસ્કરોએ પોતાનો હાથફેરો કર્યો હતો. વિધાસંકુલની ઓફિસના તાળાં તોડી પ્રવેશ કરી ઓફિસમાં રહેલ રોકડ અને અલ્ય ચીજવસ્તુઓની ઉઠાંતરી કરી ફરાર થઇ ગયા હતા. પરંતુ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગઇ હતી. જેના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
