એકટર અરશદ વારસી પોતાની આગામી ફિલ્મ ગોલમાલના પ્રમોશન કરવા પોહોચ્યો હતો ત્યારે મુન્નાભાઈ એમબીબીએસ પર સવાલ પૂછવામાં આવ્યો. શું મુન્ના અને સર્કિટની જોડી ફરી ક્યારે સાથે જોવા મળશે? જોકે હવે સંજય દત ફેન્શ માટે સારા સમાચાર છે કે, મુન્નાભાઈ એમબીબીએસ ફરીથી સિકવલ બનવા જઈ રહી છે.
અરશદ વારસીએ કહ્યું કે, હું થોડા સમય પેહલા રાજકુમારને મળ્યો હતો. ત્યારે તેમણે મને જણાવ્યું કે સંજય દતની બાયોપિક ફિલ્મ ખતમ થવામાં હવે ૬ દિવસ બાકી છે. તેના પછી મુન્નાભાઈ૩ પર કામ શરુ કરી દેશે.
નિર્દેશક રાજકુમાર પોતાની એક ફિલ્મ બનાવામાં ખુબ લાંબો સમય લે છે, એવામાં મુન્નાભાઈની સિકવલ આવવામાં ૧થી૨ વર્ષની રાહ જોવી પડી શકે છે. રાજકુમાર હિરાણી જલ્દી જ મુન્નાભાઈ ૩ની સ્ક્રિપ્ટ પરનું કામ પૂરી કરી લે અને બાયોપિક ફિલ્મ રિલીઝ થતા જ તેઓ ફિલ્મનું શુટિંગ શરુ કરી દેશે.