ઉત્તર પ્રદેશથી રાજ્યસભાની 10 બેઠકો માટેની ચૂંટણીમાં સોમવારે કેન્દ્રીય પ્રધાન હરદીપસિંહ પુરી સહિત તમામ 10 ઉમેદવારો બિનહરીફ ચૂંટાય આવ્યા હતા. સોમવારે ઉમેદવારીપત્રો પરત ખેંચવાની છેલ્લી તારીખ હતી. આ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ 8 બેઠકો જીતી હતી, જ્યારે સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટીએ એક-એક બેઠક જીતી હતી.
ભાજપના કેન્દ્રીય પ્રધાન હરદીપસિંહ પુરી, ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી અરુણ સિંહ, પૂર્વ ડીજીપી બ્રિજલાલ, નીરજ શેખર, હરિદ્વાર દુબે, ગીતા શાક્યા, સીમા દ્વિવેદી અને બી.એલ. વર્મા જીત્યા, સપામાંથી રામ ગોપાલ યાદવ અને બસપાના રામજીત ગૌતમ ઉપલા ગૃહમાં પહોંચ્યા હતા.
POLITICAL / રાહુલનો સરકાર પર કટાક્ષ, દેશનાં ખેડૂતોએ માંગી મંડી… PM…
ફોર્મ પાછા ખેંચવાની પ્રક્રિયા પછી તમામ 10 ઉમેદવારોને મદદનીશ ચૂંટણી અધિકારી મોહમ્મદ મુશહિદ સઈદ દ્વારા બિનહરીફ ચૂંટાયેલા જાહેર કરાયેલા સભ્યોને તેમના પ્રમાણપત્રો સોંપવામાં આવ્યાં હતાં. આ તમામનો કાર્યકાળ 25 નવેમ્બર 2020 થી 24 નવેમ્બર 2026 સુધી રહેશે.
ઉત્તર પ્રદેશના ક્વોટાથી રાજ્યસભાની 31 બેઠકો છે. તેમાંથી ભારતીય જનતા પાર્ટી પાસે હવે મહત્તમ 22 બેઠકો હશે, જ્યારે સમાજવાદી પાર્ટી પાસે પાંચ બેઠકો અને બસપાની ત્રણ બેઠકો હશે. કોંગ્રેસ પાસે હવે ઉત્તર પ્રદેશથી રાજ્યસભાની એક જ બેઠક હશે.
Ajab Gajab: દેશના આ જીલ્લામાં ભેંસને દોહતા પહેલા પીવડાવાય છે બિયર, જાણો …
રાજ્યસભાની ચૂંટણી ગયા અઠવાડિયે નામાંકનના છેલ્લા દિવસે અચાનક રસપ્રદ બની હતી. સમાજવાદી પાર્ટી સમર્થિત નિર્દલીય ઉમેદવાર પ્રકાશ બજાજના આગમનથી હંગામો થયો હતો. આ પછી બસપાના સાત ધારાસભ્યોએ સપાના સમર્થનમાં પોતાનું વલણ વ્યક્ત કર્યું હતું. જો કે, ફોર્મની તપાસમાં પ્રકાશના નામાંકનને અસ્વીકાર કરવાને કારણે, અન્ય દસ બિનહરીફ ચૂંટાયા હતા.
રાજ્યસભાની ચૂંટણીઓ પણ બસપા અને ભાજપ વચ્ચે નજીકતા જોવા મળી હતી. જેના પર માયાવતીએ સોમવારે નિવેદન બહાર પાડ્યું હતું. તેમણે કહ્યું હતું કે તેઓ રાજકારણમાંથી નિવૃત્તિ લેશે. પરંતુ ભાજપ સાથે જોડાણ ક્યારેય નહીં કરે. માયાવતીએ કહ્યું કે એસપી સરકારમાં લોકો ગુંડારાજથી નારાજ હતા. 1995 માં તમામ પક્ષોએ કહ્યું હતું કે, જો તેઓ સપામાંથી બહાર આવે છે, તો જ તેઓ બધા અમને સમર્થન કરશે. ત્યારબાદ ભાજપ અને કોંગ્રેસ સહિત અન્ય નાના પક્ષો સાથે સરકાર બનાવી, પરંતુ વિચારધારા અને આંદોલન સાથે કોઈ બાંધછોડ કરી ન હતી. તેમણે મતદારોને ગેરમાર્ગે દોરાય નહીં તેવી અપીલ કરી હતી.