અમદાવાદ,
અમદાવાદમાં 141મી ભગવાન જગન્નાથની રથયાત્રાની ઉજવણી કરવામાં આવી. તો રથયાત્રામાં જોડાયેલી ટ્રકોએ લોકોનું ધ્યાન આકર્ષિત કર્યું. રથયાત્રામાં ભક્તોની ભીડ ઉમટી હતી અને અખાડાના કરતબો દ્વારા લોકોનું ધ્યાન આકર્ષિત કરવામાં આવ્યું.
અખાડામાં લાકડી, બરંડી, ફરસી, ભાલાથી લોકો પોતાના કરતબો કરતા જોવા મળ્યા. ટ્રકોમાંથી દર્શન કરવા આવતા લોકોને ટ્રકમાંથી પ્રસાદીનું વિતરણ કરવામાં આવ્યું અને ઠેર ઠેર હર્ષોલ્લાસનો માહોલ જોવા મળ્યો. ઉલ્લેખનીય છે કે રથયાત્રા માટે આ કરતબોની ટ્રેનિંગ છેલ્લા બે મહિનાથી કરવામાં આવતી હોય છે.