રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા એ ચાલુ ખાતા સંબંધિત નિયમોમાં રાહત આપી છે, જેના પછી હવે એવા ગ્રાહકો પણ ચાલુ ખાતું ખોલાવી શકશે, જેમણે પાંચ કરોડ રૂપિયાથી ઓછી લોન, બેંકિંગ સિસ્ટમમાંથી કેશ ક્રેડિટ (CC) અથવા ઓવરડ્રાફ્ટ (OD) મારફતે લીધી છે.ઈન્ડિયન બેંક્સ એસોસિએશન (IBA) અને અન્ય હિતધારકોના સૂચનો બાદ નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
અગાઉ, આરબીઆઈએ આવા ગ્રાહકોના ચાલુ ખાતા ખોલવા પર પ્રતિબંધ મૂક્યો હતો, જેમણે બીજી બેંકો પાસેથી કેશ ક્રેડિટ અથવા ઓવરડ્રાફ્ટ સુવિધા દ્વારા અન્ય બેંકો પાસેથી લોન લીધી હોય.લોન સંબંધિત છેતરપિંડીના મામલાઓને ધ્યાનમાં રાખીને આરબીઆઈએ આ પગલું ભર્યું હતું અને ઓગસ્ટ 2020માં, ચાલુ ખાતા સાથે સંબંધિત નિયમોને કડક કર્યા હતા. RBIએ હવે આ જ નિયમ હળવો કર્યો છે.
આ પણ વાંચો ;નેત્રદાન / નિધન બાદ પણ પુનીત રાજકુમારની આંખો જોતી રહેશે દુનિયા, પિતાએ પણ કર્યું હતું નેત્રદાન
શુક્રવારે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા જારી કરવામાં આવેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે, ‘એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે બેંક તે દેવાદારોના કરંટ એકાઉન્ટ ખોલી શકે છે, જેમણે બેકિંગ સિસ્ટમમાંથી એટલે કે બીજી બેંકોમાથી કેશ ક્રેડિટ કે ઓવરડ્રાફ્ટ તરીકે લોન લીધી છે. જો કે તેના માટે અધિકતમ રકમ 5 કરોડ રૂપિયાથી વધારે ન હોવી જોઈએ.’
આ સાથે જ, આવા ગ્રાહકોને બેંકને એક અંડરટેકિંગ પણ આપવી પડશે, જેમાં તેમણે એ સહેમતિ આપવી પડશે કે, જ્યાારે પણ તેમના પર બેન્કિગ સિસ્ટમમાંથી લેવામાં આવેલી લોનની મર્યાદા 5 કરોડ રૂપિયા કે તેનાથી વધારે પહોંચશે તો તે બેંકને આ વિશે જાણકારી આપશે.
આ પણ વાંચો ;દિવાળી સ્પેશિયલ / દિવાળી પર પ્રિયજનોને આપવા માટે છે આ 6 ગિફ્ટ ઓપશન્સ