સામગ્રી
2 પાણીવાળા ભીના નારિયેળ
50 ગ્રામ બદામ પિસ્તાની કતરન,
600 ગ્રામ દૂધ
150 ગ્રામ માવો
400 ગ્રામ ખાંડ
1 મોટી ચમચી ઘી
ઈલાયચી પાવડર
કેસરના લચ્છા
બનાવવાની રીત
પહેલાં તો નારિયળને ફોડીને નારિયળમાંથી પાણી નીકળી લો. હવે નારિયળના અંદરનુ કોપરં કાઢીને તેના પર બ્રાઉન પડને હલ્કા હાથથી ચાકુ કે છીણીની મદદથી અલગ કરી લો.
ત્યારપછી સફેદ નારિયળના ટુકડા કરી મિક્સરમાં ઝીણુ છીણી લો અને દૂધમાં મિક્સ કરી ગેસ પર બફાવા મૂકી દો.જ્યારે મિશ્રણ ઘટ્ટ થવા માંડે ત્યારે ખાંડ મિક્સ કરો અને ફરીથી ઘટ્ટ કરી લો.
જો મિશ્રણ ચોંટી રહ્યુ હોય તો થોડુ ઘી નાખો. હવે એક કડાહીમાં માવો ગુલાબી રંગનો સેકી લો. ઠંડુ થતા માવો ઈલાયચી અને કેસર નારિયળના મિશ્રણમાં નાખી દો. ઉપરથી બદામ પિસ્તા નાખો અને ગોલ ગોલ લાડુ બનાવી લો. તૈયાર છે નારિયેળ અને માવાના લાડુ