પ્રખ્યાત ટેલિકોમ કંપની Reliance Jioનું નેટવર્ક શનિવારે સવારે ડાઉન થવાને કારણે દેશના ઘણા ભાગોમાં ફોન સેવાઓ પ્રભાવિત થઈ હતી. આ સમય દરમિયાન લોકોને ઇનકમિંગ અને આઉટગોઇંગ કોલ કરવામાં ખૂબ જ મુશ્કેલી પડી હતી. દેશના જુદા જુદા ભાગોમાંથી Jio નેટવર્ક ડાઉન હોવાની ફરિયાદો આવી હતી.જેમાં મુખ્યત્વે મધ્યપ્રદેશ, છત્તીસગઢ, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, કર્ણાટક જેવા રાજ્યોમાં નેટવર્ક યોગ્ય રીતે ન ચાલવાને કારણે લોકો વધુ પરેશાન થયા હતા. Jio નેટવર્ક ડાઉન થયાના થોડા સમય પછી, #jiodown ટ્વિટર પર ટ્રેન્ડ કરવાનું શરૂ કર્યું.
મળતી માહિતી મુજબ, મુંબઈમાં છેલ્લા ચાર મહિનામાં આ બીજી વખત હતો જ્યારે રિલાયન્સની સેવાઓ પ્રભાવિત થઈ હતી. યુઝર્સે કહ્યું કે કોલ કરવાથી લઈને ઈન્ટરનેટ સુધીની સેવાઓ ખોરવાઈ ગઈ છે. એટલું જ નહીં, અન્ય નેટવર્કના લોકો પણ Jioના નેટવર્ક પર સંપર્ક કરી શકતા નથી.
આ પણ વાંચો:Weather Update / ત્રણ દિવસ બાદ દિલ્હી-NCRમાં ફરી વરસાદ,તો 13 રાજ્યોમાં ધુમ્મસ
મુંબઈમાં, રિલાયન્સ જિયો ઈન્ટરનેટ એક્સેસ કરતી વખતે નેટવર્ક પર રજિસ્ટર્ડ ન હોવાના મેસેજ મળી રહ્યા હતા . અગાઉ 22 જૂન, 2020 ના રોજ, લખનૌ, લુધિયાણા, દેહરાદૂન અને દિલ્હી-એનસીઆરમાં લગભગ 24 કલાક સુધી Jio ફાઇબર સેવાઓને અસર થઈ હતી.
શનિવારે દેશના ઘણા ભાગોમાં અચાનક રિલાયન્સ જિયો નેટવર્ક બંધ થવા પાછળનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. બ્રેકડાઉન નું કારણ શું છે ? રિલાયન્સ જિયો દ્વારા હજુ સુધી આ અંગે કોઈ માહિતી આપવામાં આવી નથી.
ઘણા યુઝર્સે સોશિયલ નેટવર્કિંગ પ્લેટફોર્મ પર ઇન્ટરનેટ અને ફોન સેવાઓ કામ ન કરવાની પીડા શેર કરી હતી. આ દરમિયાન ટ્વિટર પર નેટવર્ક પર નોંધાયેલ નથી જેવા મેસેજ મૂકવામાં આવ્યા હતા. યુઝર્સે કહ્યું કે બાળકોના ઓનલાઈન ક્લાસથી લઈને તેમના મહત્વના કામ સુધી તેઓને અસર થઈ રહી છે. ગ્રાહક સંભાળ પાસે પણ આનો કોઈ ઉકેલ નથી.
આ પણ વાંચો;શ્રદ્ધાંજલિ / લતા મંગેશકરનું નિધન, ભૂમિ પેડનેકરથી લઈને ગુરુ રંધાવાએ આ રીતે આપી શ્રદ્ધાંજલિ