ગુજરાતી ઠગ વાળા નિવેદનને લઈને બિહારના ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવને સુપ્રીમ કોર્ટમાંથી રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે તેજસ્વી યાદવની અરજી પર સુનાવણી કરતા અમદાવાદ કોર્ટમાં કેસની સુનાવણી પર રોક લગાવી દીધી છે. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ હવે તેજસ્વી યાદવને નીચલી કોર્ટમાં વ્યક્તિગત હાજરીમાંથી મુક્તિ આપવામાં આવી છે. આપને જણાવી દઈએ કે તેજસ્વી યાદવ નથી ઈચ્છતા કે ગુજરાતી ઠગ નિવેદનને લઈને માનહાનિના કેસની સુનાવણી અમદાવાદમાં થાય. તેમણે આ કેસ અમદાવાદની મેટ્રોપોલિટન કોર્ટમાંથી સુપ્રીમ કોર્ટમાં ટ્રાન્સફર કરવા માટે અરજી કરી છે. જણાવી દઈએ કે ગુજરાતી ઠગ કેસમાં સ્થાનિક કોર્ટે તેજસ્વીને કોર્ટમાં હાજર થવાનો આદેશ આપ્યો હતો.
સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, કોર્ટે તેજસ્વીને 22 સપ્ટેમ્બરે ગુનાહિત માનહાનિના કેસમાં તેમની કથિત ટિપ્પણી “ફક્ત ગુજરાતીઓ જ ઠગ હોઈ શકે છે” માટે સમન્સ પાઠવ્યા હતા. તેમને 13 ઓક્ટોબરે કોર્ટમાં હાજર થવાનો આદેશ આપવામાં આવ્યો હતો. આ પછી, તેજસ્વીના વકીલ વતી અમદાવાદ કોર્ટમાં હાજરીમાંથી મુક્તિ માટેની અરજી દાખલ કરવામાં આવી હતી. તેમને રાહત આપતા કોર્ટે તેમને 4 નવેમ્બર સુધી હાજર રહેવામાંથી મુક્તિ આપી હતી.
શું છે મામલો?
વાસ્તવમાં માર્ચ 2023માં તેજસ્વી યાદવે ગુજરાતીઓને લઈને નિવેદન આપ્યું હતું. મીડિયા સાથે વાતચીત દરમિયાન તેમણે કહ્યું હતું કે માત્ર ગુજરાતીઓ જ ગુંડા છે. જે લોકો બેંકના પૈસા લઈને ભાગી જાય છે તેમને માફ કરવામાં આવી રહ્યા છે. આ પછી, ગુજરાતના વેપારી અને સામાજિક કાર્યકર હરેશ મહેતાએ તેમની સામે અમદાવાદ મેટ્રોપોલિટન કોર્ટમાં માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. તેમણે આરોપ લગાવ્યો કે તેજસ્વી યાદવની ટિપ્પણીથી તમામ ગુજરાતીઓની ભાવનાઓને ઠેસ પહોંચી છે.
આ પણ વાંચો:રાજ્યના પૂર્વ CM વિજય રૂપાણી અને સુરેશ મહેતાની કારને નડ્યો અકસ્માત
આ પણ વાંચો:પ્રેમીએ ફોટો વાયરલ કરવાની ઘમકી આપતા વિદ્યાર્થીનીએ ટુંકાવ્યું જીવન
આ પણ વાંચો:ગુજરાતનું આ ગામ હવે ઓળખાશે “દીકરી ગામ” તરીકે
આ પણ વાંચો:સ્પેસ થીમ, 50 મીટર ઉપર સુધી જશે પાણી, સાયન્સ સિટીમાં દેશનો સૌથી મોટો ફાઉન્ટેન શો