Amreli News:અમરેલીમાં BS માઇક્રોબાયોલોજીના અંતિમ વર્ષમાં અભ્યાસ કરતી અને હોસ્ટેલમાં રહેતી બોટાદ પંથકની વિદ્યાર્થીનીએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. 19 વર્ષીય વિદ્યાર્થિનીએ હોસ્ટેલની રૂમમાં જ ચૂંદડી વડે ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું હતું. તેના રૂમમાંથી એક સુસાઈડ નોટ મળી આવી છે. જેમાં તેના પ્રેમીના ત્રાસથી કંટાળીને તેણે આ પગલું ભર્યું હોવાનો ઉલ્લેખ છે.
મળતી માહિતી અનુસાર,અમરેલીના ગજેરા શૈક્ષણિક સંકુલમાં છેલ્લા 5 વર્ષથી સાયન્સનો અભ્યાસ કરતી અને લક્ષ્મી ડાયમંડ ગર્લ્સ હોસ્ટેલમાં રહેતી 19 વર્ષીય વિદ્યાર્થિનીનું નામ અર્ચના મેહુલભાઈ તલસાણીયા છે અને તે બોટાદની વતની હોવાનું જાણવા મળ્યું છે. આ વિદ્યાર્થિનીએ પ્રેમ પ્રકરણમાં આ પગલું ભર્યું હોવાનું કહેવામાં આવી રહ્યું છે. દીકરીના મોતથી પરિવાર પર આભ તૂટી પડ્યું છે.
આ ઘટના બાદ અર્ચનાના પરિવારજનો તેનો સમાન લેવા તેની હોસ્ટેલ પહોંચ્યા હતા, જ્યારે તેઓએ મૃતક અર્ચનાની બેગ ખોલી તો તેમાં ત્રણ કાગળો મળી આવ્યા હતા. જે સુસાઈડ નોટ હતા. આ સુસાઈડ નોટ મળ્યા બાદ મૃતક અર્ચનાના પરિવારજનો સ્તબ્ધ થઈ ગયા હતા.બાદમાં તેઓએ તુરંત અમરેલી પોલીસમાં સ્યુસાઈડ નોટ આપી પુત્રીને આપઘાત કરવા મજબૂર કરનાર બોટાદના આકાશ મનજીભાઈ સિહોરા સામે ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે આરોપી આકાશની શોધખોળ હાથ ધરી છે.
અર્ચનાએ સુસાઈત નોટમાં લખ્યું છે કે તે આ પગલું એટલા માટે લઈ રહી છે કારણ કે તે તેના જીવનથી ખૂબ કંટાળી ગઈ છે. મેં અત્યાર સુધી ઘણું સહન કર્યું છે. હું તેને હવે સહન કરી શકતી નથી. માફ કરશો, બાપુજી, પપ્પા, મેં તમારાથી એક વાત છુપાવી હતી કે હું સિહોરા આકાશ સાથે વાત કરી રહી હતી, મને ખબર નથી કે મારા શરીર પર કેટલા ડેમ છે. હવે તે માણસ મારી અંગત જગ્યામાં પ્રવેશવાનું કહી રહ્યો છે. તે કહે છે કે ડરશો નહીં નહીં તો હું તમારી ખરાબ તસવીરો અપલોડ કરીશ અને તમને બદનામ કરીશ. આકાશે મને કહ્યું કે તું ક્યારેય જૂઠું બોલીશ નહીં પણ હું આવું એટલા માટે કહું છું કારણ કે મને ડર હતો કે તે મારા કપડા ફાડી નાખશે, મને કરડશે, મારી નાખશે. બીજી એક વાત જે છુપાયેલી રહી તે એ હતી કે અમારા લગ્ન 19-10-19ના રોજ થયા હતા.
આ પણ વાંચો:ગુજરાતનું આ ગામ હવે ઓળખાશે “દીકરી ગામ” તરીકે
આ પણ વાંચો:વર્લ્ડ કપ ફાઇનલની લોકોના ખિસ્સા પર પડશે અસર, ટિકિટ – રૂમના ભાડા સાંભળી થઈ જશો…
આ પણ વાંચો:આમ આદમી પાર્ટીના MLAની પત્નીની ધરપકડ, જાણો શું લાગ્યો આરોપ