Not Set/ કેવી જશે આપની 03/3/2019,વાંચો આપનું રાશિ ભવિષ્ય

અમદાવાદ, મેષ : આજના દિવસે અમુક ક્ષેત્રે સફળતા મળી શકે છે. વેપાર-ધંધામાં મોટું રોકાણ કરતાં બચવું. શિક્ષણ ક્ષેત્રે જોડાયેલા લોકો નો ટ્રાન્સફર થઇ શકે. સંતાનની ખાસ કાળજી રાખો. વૃષભ : વાણી પર સંયમ રાખવો, નહીંતર નુકસાન થઈ શકે. નવા સંબંધો તરફથી લાભ મળી શકે. વેપાર-ધંધાના ક્ષેત્રે લાભ થઇ શકે, સમય તમારા હિતમાં છે. મિથુન : […]

Top Stories
nin કેવી જશે આપની 03/3/2019,વાંચો આપનું રાશિ ભવિષ્ય

અમદાવાદ,

મેષ : આજના દિવસે અમુક ક્ષેત્રે સફળતા મળી શકે છે. વેપાર-ધંધામાં મોટું રોકાણ કરતાં બચવું. શિક્ષણ ક્ષેત્રે જોડાયેલા લોકો નો ટ્રાન્સફર થઇ શકે. સંતાનની ખાસ કાળજી રાખો.

વૃષભ : વાણી પર સંયમ રાખવો, નહીંતર નુકસાન થઈ શકે. નવા સંબંધો તરફથી લાભ મળી શકે. વેપાર-ધંધાના ક્ષેત્રે લાભ થઇ શકે, સમય તમારા હિતમાં છે.

મિથુન : વેપાર સ્થિતિમાં બદલાવ આવી શકે. આકસ્મિક ધન લાભ થશે. વાહન મશીન આદિ નો ઉપયોગ સાવધાનીથી કરવો. કાર્યમાં વ્યસ્ત રહી શકો. દિવસ સારો પસાર થાય.

કર્ક : આજનો દિવસ શાંતિ મળશે. એટલે કે જો કોઈ માનસિક તનાવ હોય તો તેમાં રાહત મળશે. અધુરા કામ આજે પૂરાં થઈ શકે. નવા વ્યક્તિઓને મળવાનું થાય. તેમજ અટવાયેલું ધન પ્રાપ્ત થઈ શકે.

સિંહ : આજનો દિવસ મિશ્ર પ્રતિસાદ વાળો રહેશે. કારકિર્દીમાં ખૂબ કાળજી રાખવી ને આગળ વધો. સંબંધો વધુ ગાઢ બની શકે. તમારી કાર્યકુશળતાથી લોકો પ્રભાવિત થશે.

કન્યા : આજના દિવસમાં કામ બાકી હોય તેને કાળજીપૂર્વક કરવા, કારણકે રુકાવટ આવી શકે. ભૂ નિવેશ થી લાભ થઈ શકે. આત્મવિશ્વાસ માં ખામી સર્જાઈ શકે, જેની ખૂબ કાળજી રાખવી.

તુલા : કોઈ નવો સંબંધ કે સંબંધમાં ગઢતા વધી શકે. આકસ્મિક ધનલાભ થઈ શકે યાત્રા પણ થઇ શકે. પારિવારિક વિવાદ ન થાય તેનું ખાસ ધ્યાન રાખવું.

વૃશ્ચિક : વડીલો ના આશીર્વાદ મળશે જે તમને સફળતાના માર્ગ સુધી ની પ્રાપ્તિ કરાવશે. પરીક્ષાના પરિણામ તમારા હિતમાં રહેશે.

ધન : પારિવારિક સંબંધોમાં વ્યસ્ત રહી શકો. તેમજ મનોરંજન પાછળ સમયનો વ્યય થઇ શકે. કાર્ય સ્થળ ઉપર કાળજી રાખવી અને માહોલ જાળવવા.

મકર : આજે વિચાર ના કારણે નુકસાન થઈ શકે આથી વિચારીને નિર્ણય કરવો. મહેનત માં વિશ્વાસ રાખવો, આકસ્મિક યાત્રા પણ થઈ શકે.

કુંભ : પોતાના જીવનસાથીને સમજવાની જરૂર છે, વાણી પર સંયમ રાખો અને સહજતા દાખવવી. વેપાર-ધંધામાં નવા સોદા શક્ય છે. મિત્રોનો સહયોગ મળશે વેપાર-ધંધામાં લાભ પણ થઈ શકે.

મીન : આજનો દિવસ ચિંતામાં પણ વ્યતિત થઇ શકે છે. આથી ખોટા માનસિક તનાવને તમારી ઉપર હાવી થવા દેવા નહીં, જોખમ વગેરેના કાર્ય કાળવા. અને આળસ તમારો મોટો શત્રુ બની શકે આથી તેનાથી છુટકારો મેળવવો.