દુનિયામાં કોરોનાનાં કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. તેમા હવે ભારત પણ પાછળ રહ્યુ નથી. દૈનિક દોઢ લાખથી વધુ કેસ ભારતમાં રોજ આવી રહ્યા છે. ત્યારે આજે એટલે કે ગુરુવારે કોરોનાનો આંક અઢી લાખને વટાવી ગયો હતો. ત્યારે હવે તાજેતરમા ગુજરાતનો છેલ્લા 24 કલાકનો આંક સામે આવ્યો છે, જેણે સૌ કોઇને ચોકાવી દીધા છે.
આ પણ વાંચો – દિલ્હી / સંસદનું બજેટ સત્ર 31 જાન્યુઆરીથી શરૂ થશે,નાણા મંત્રી નિર્મલાસીતારમણ 1 ફેબ્રુઆરીએ સામાન્ય બજેટ રજૂ કરશે
આપને જણાવી દઇએ કે, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં નવા કેસ 12,911 નોંધાયા છે. જેમા સૌથી વધુ કેસ અમદાવાદ4405 માં નોંધાયા છે. વળી સુરતમા પણ આ કેસમા કોઇ ઘટાડો જોવા મળ્યો નથી. સુરતમા છેલ્લા 24 કલાક 708 માંનોધાયા છે. ઉપરાંત વડોદરામાંં કોરોનાનાં 1871 કેસ, રાજકોટમાં 1008 ,ગાંધીનગરમાં કેસ નોંધાયા364 છે
આપને જણાવી દઇએ કે, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં દર્દીઓને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ 12,911 કરવામાં આવ્યા છે. રાજ્યમાં કુલ એક્ટિવ 1,17,884 કેસની સંખ્યા છે. જ્યારે આ સમયગાળામાં કોરોનાથી દર્દીઓનાં મોત થયા છે. રાજ્યમાં કુલ કેસનો આંકડો 11,29,923 સુધી પહોંચી ગયો છે. રાજ્યમાં કોરોનાને હરાવી ઠીક થયેલા દર્દીઓની સંખ્યા 9,92,431 ગઇ છે.
રાજ્યમાં કોરોનાના કેસમાં થયો ઘટાડો
રાજ્યમાં કોરોનાથી આજે 22 દર્દીઓના મોત
રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના 12,911 કેસ
અમદાવાદમાં સૌથી વધુ 4405 કેસ
વડોદરામાં 1871, સુરતમાં 708 કેસ
રાજકોટમાં 1008, ગાંધીનગરમાં 364 કેસ
છેલ્લા 24 કલાકમાં 9,92,431 લોકો ડિસ્ચાર્જ
રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 1,17,884
રાજ્યમાં કુલ કેસનો આંકડો પહોંચ્યો 11,29,923
રાજ્યમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 9,92,431