Not Set/ રાજ્યમાં દલિતો પર થઇ રહેલા અત્યારચાર યથાવત, કેશોદમાં દલિત મહિલા સાથે કરાઈ મારપીટ

ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી દલિત સમુદાયના લોકો સાથે થઇ રહેલો અત્યાચારની ઘટનાઓમાં મોટા પ્રમાણમાં વધારો થયો છે, ત્યારે આ જ પ્રકારની એક ઘટના જૂનાગઢ જિલ્લાના કેશોદમાંથી સામે આવી છે.

Gujarat Others
A 24 રાજ્યમાં દલિતો પર થઇ રહેલા અત્યારચાર યથાવત, કેશોદમાં દલિત મહિલા સાથે કરાઈ મારપીટ

ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી દલિત સમુદાયના લોકો સાથે થઇ રહેલો અત્યાચારની ઘટનાઓમાં મોટા પ્રમાણમાં વધારો થયો છે, ત્યારે આ જ પ્રકારની એક ઘટના જૂનાગઢ જિલ્લાના કેશોદમાંથી સામે આવી છે.

જૂનાગઢ જિલ્લાના કેશોદમાંથી સામે આવેલી ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે કારણ કે, કેશોદમાં એક દલિત મહિલાને બાંધીને ઢોર માર માર્યો હોવાની ઘટના સામે આવી છે. સામાન્ય ઝઘડામાં દલિત મહિલાને પહેલા બંધક બનાવવામાં આવી હતી, ત્યારબાદ ઢોર માર મારવામાં આવ્યો હતો.

આ પણ વાંચો :અમદાવાદમાં જીમ ખુલશે તો થશે કાર્યવાહી, જાણો શું કહ્યું – AMC એ….

આ ઘટના અંગે મળી રહેલી માહિતી મુજબ, કેશોદમાં અગતરાય ગામે રસ્તેથી પસાર થતી મહિલા સાથે તકરાર થતા એક શખ્સે પોતાના પરિવારના સભ્યો સાથે મળી અને તેને ઢસડી અને પોતાના ઘરમાં લઈ જઈ હાથ પગ બાંધી અને ઢોરમાર માર્યો હતો.

આ ઘટના બાદ ઘાયલ થયેલી મહિલાને 108 એમ્બ્યુલન્સ મારફતે સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. ઈજાગ્રસ્ત મહિલાએ પોલીસને નિવેદન આપતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે અને ફરિયાદના આધારે આરોપીઓ સામે તજવીજ હાથ ધરી છે.

આ પણ વાંચો :ઊલટા ચોર કોટવાલ કો ડાટે, ટેસ્ટ વિના દિલ્હી થી રાજકોટ પહોંચેલા 12 મુસાફરોએ મચાવી ધમાલ

આ પણ વાંચો :ઘર ખાલી કરાવવા માટે પત્નીએ જે કાવતરું રચ્યું તે ખરેખર વાંચીને તમે ચોંકી જશો