New Delhi News : લોકસઊભાની ચૂંટણીમાં આ વખતે હૈદરાબાદ પણ દિલચસ્પ લડાઈ દાખવી રહ્યું છે. બીજેપીએ આ વખતે હૈદરાબાદ સીટ જીતવા માટે AIMIM ચીફ સામે માધવી લતાને ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા છે. હવે તેમના સમર્થનમાં મગારાષ્ટ્રથી બીજેપી ઉમેદવાર નવનીત રાણા આવી હતી. પોતાના આક્રમક અંદાજ માટે મશહૂર નવનીતે હૈદરાબાદમાં પગ મુકતા જ એક મોટા વિવાદને જન્મ આપી દીધો છે.
પ્રચાર દરમિયાન નવનીત રાણાએ ખુલ્લા અંદાજમાં ઓવૈસી બંધુઓને ધમકી આપવાનુંકામ કર્યું હતું. નવનીતે કહ્યું કે છોડા કહે છે કે 15 મિનીટ માટે પોલીસ હટાવી દીધી તો અમે દેખાડીશું કે શું કરી શકીએ છીએ. છોટેને હું બસ એટલું જ કહેવા માંગું છું કે તમને કો 15 મિનીટ જોઈએ છે. અમારે તો ફક્ત 15 સેકન્ડ માટે પોલીસને હટાવવાની છે. ખબર પણ નહી પડે કે છોટે અને બડે ક્યાંથી આવ્યા અને ક્યાં જતા રહ્યા.
નવનીત રાણા આટલેથી જ અટકી ન હતી. તેણે ભારપુર્વક કહ્યું કે ચૂંટમી તો હૈદરાબાદને પાકિસ્તાન બનતો રોકવા માટે છે. બીજેપી નેતાએ કહ્યું કે જે પણ મતદાન થશે તે દેશના હિતમાં થશે. આ વખતે વોટીંગ હૈદરાબાદને પાકિસ્તાન બનતા રોકવા માટે કરવું પડશે. હૈદરાબાદના તમામ હિન્દુઓએ જાગવું પડશે. આવું પહેલાવીર નથી કે નવનીત રાણા તરફથી આવા નિવેદન કરાયા છે.
અગાઉ હનુમાન ચાલીસા જેવા વિવાદોને લઈને નવનીત ચર્ચામાં આવી ચુકી છે. બીજેપી આ વખતે નવનીત રાણાને મહારાષ્ટ્રની અમરાવતી સીટ પરથી લડાવી રહી છે. છેલ્લી વાર તેમણે અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી જીતી હતી. આ વખતે બીજેપીની ટિકીટ પર કિસ્મચત અજમાવી રહી છે. તેનો દાવો છે કે મોટા માર્જીનથી તે ચૂંટણી જીતવા જઈ રહી છે. ઉલ્લેખનીય છે કે આ વર્ષે જ નવનીત બીજેપીમાં જોડાઈ હતી. તેની અટકળો પહેલેથી ચાલી રહી હતી.
આ પણ વાંચો:વિશ્વાસ જ ગુમાવી દેશે લોકો; બંગાળના શિક્ષક ભરતી કૌભાંડ પર બોલ્યા ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ
આ પણ વાંચો:કોરોના દરેક સામે કારગર All-in-One રસી આવશે….
