કોરોના મહામારીના કારણે દેશમાં ઓક્સિજનની માંગમાં વધારો થયો છે. ભારતમાં ઓક્સિજનની અછતના કારણે કોરોનાના અનેક દર્દીઓ મોતને ભેટ્યા છે. કેન્દ્ર સરકારે નવ મહત્વના ઉદ્યોગોને છોડીને બાકીના નાના-મોટા ઉદ્યોગોના ઓક્સિજન સપ્લાય પર પ્રતિબંધ લગાવી દીધો છે. આ નિર્ણનો અમલ આગામી 22 એપ્રીલથી કરવામાં આવશે.
કોરોના સંક્રમણના કેસોમાં વધારો થતા મેડેકીલ ઓક્સિજનની માંગમાં ઉછાળો આવ્યો છે. તેને ધ્યાનમાં લઇને કેન્દ્ર સરકારે હાઇલેવલની સમિતીની રચના કરી હતી. આ સમિતીએ સમીક્ષા કર્યા બાદ ઉદ્યોગોને ઓક્સિજન સપ્લાય પર પ્રતિબંધ રાખીને મેડિકલ ઓક્સિજનની માંગને પુર્ણ કરવાનો નિર્ણય લીધો છે.
દેશના મહત્વના નવ ઉદ્યોગોને આ નિર્ણયમાંથી બાકાત રાખવામાં આવ્યા છે. કેન્દ્ર સરકાર તરફથી દરેક રાજ્યના મુખ્ય સચીવોને પત્ર દ્ધારા જાણ કરવામાં આવી છે.