Not Set/ કોંગ્રેસના વરિષ્ઠ નેતા મલ્લિકાર્જુન ખડગેએ મમતા બેનર્જી પર કર્યો પલટવાર!

વરિષ્ઠ નેતા મલ્લિકાર્જુન ખડગેએ ગુરુવારે કહ્યું કે કોંગ્રેસનો ઉદ્દેશ્ય ભાજપને હરાવવાનો છે પરંતુ કેટલાક લોકો ભાજપને દિલ્હી કેન્દ્રમાં સત્તામાં રહેવા માટે મદદ કરી રહ્યા છે.

Top Stories India

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ તાજેતરમાં કહ્યું હતું કે કોઇ યુપીએ નથી. હવે રાજ્યસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા મલ્લિકાર્જુન ખડગેએ ગુરુવારે કહ્યું કે કોંગ્રેસનો ઉદ્દેશ્ય ભાજપને હરાવવાનો છે પરંતુ કેટલાક લોકો ભાજપને દિલ્હી કેન્દ્રમાં સત્તામાં રહેવા માટે મદદ કરી રહ્યા છે. મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું, ‘મમતા બેનર્જી સંપૂર્ણપણે ખોટા છે કે યુપીએનું અસ્તિત્વ નથી. રાહુલ ગાંધી પર અંગત પ્રહારો કરવા એ પણ ખોટું છે.

રાહુલ ગાંધી ક્યાંય દેખાતા નથી તેવો મમતા બેનર્જીનો આરોપ ખોટો છે. કોંગ્રેસ તમામ મુદ્દા ઉઠાવી રહી છે અને તમામ જગ્યાએ લડી રહી છે. અમારું લક્ષ્ય ભાજપને હરાવવાનું છે પરંતુ કેટલાક આ પાર્ટીને મદદ કરી રહ્યા છે. મલ્લિકાર્જુન ખડગેએ વધુમાં કહ્યું કે અમે ઘણા સામાજિક અને રાજકીય મુદ્દાઓ પર ટીએમસીને સાથે લાવવાનો પ્રયાસ કર્યો. વિપક્ષોએ એકબીજામાં ભાગલા કે લડાઈ ન કરવી જોઈએ. આપણે સાથે મળીને ભાજપ સામે લડવાનું છે.

ઉલ્લેખનીય છે કે હાલમાં જ કોંગ્રેસ પાર્ટી પર નિશાન સાધતા મમતા બેનર્જીએ કહ્યું હતું કે તેઓ  તાકાતથી લડી શકતા નથી જે સાથે તેમણે ભાજપ સામે લડવું જોઈએ. તેમણે કહ્યું કે હવે યુપીએ એટલે કે સંયુક્ત પ્રગતિશીલ ગઠબંધન નથી.મમતા બેનર્જીએ કહ્યું હતું કે જો હું દેશના લોકોને મળી રહી છું તો આમાં શું વાંધો છે. કેટલાક પક્ષો અને લોકો એવા છે જે કંઈ કરતા નથી. તે અડધો સમય વિદેશમાં વિતાવે છે. કંઈ ન કરો.