ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં સિલક્યારા-ડંડાલગાંવ ટનલનો એક ભાગ તૂટી પડવાને કારણે છેલ્લા બે દિવસથી અંદર ફસાયેલા 40 શ્રમિકો માટે આગામી કેટલાક દિવસો ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ટનલની અંદર જમા થયેલો કાટમાળ આ લોકોને બહાર કાઢવાના પ્રયાસોમાં મોટો અવરોધ સાબિત થઈ રહ્યો છે. આવી સ્થિતિમાં બચાવકર્મીઓએ આ મજૂરોને સુરક્ષિત બહાર કાઢવા માટે નવી યોજના અપનાવી છે. તેઓએ મંગળવારે કાટમાળમાં મોટી પહોળાઈની MS (હળવા સ્ટીલ) પાઈપો નાખવાની પ્રક્રિયા શરૂ કરી. અધિકારીઓએ જણાવ્યું કે, સિલ્ક્યારા ટનલના ડૂબેલા ભાગમાં આડું ડ્રિલિંગ કરવામાં આવશે અને તેમાં પાઇપ નાખવામાં આવશે, જેથી અંદર ફસાયેલા કામદારો તેના દ્વારા બહાર આવી શકે છે.
ઉલ્લેખનીય છે કે, રવિવારે સવારે યમુનોત્રી નેશનલ હાઈવે પર નિર્માણાધીન સુરંગની લગભગ 30 મીટર, સિલ્ક્યારા બાજુથી મુખમાં 270 મીટર અંદર ભૂસ્ખલનને કારણે તૂટી પડી હતી અને ત્યારથી 40 કામદારો તેની અંદર ફસાયેલા છે. તેમને બચાવવા માટે બચાવ અને રાહત કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે.
#WATCH | Work to put large diameter pipes inside the Silkyara Tunnel in Uttarakhand's Uttarkashi to rescue 40 trapped labourers to begin soon pic.twitter.com/t3lmNZvFxt
— ANI (@ANI) November 14, 2023
અધિકારીઓએ જણાવ્યું હતું કે, 900 મીમી પહોળી પાઇપ અને તેની અંદર આડી ડ્રિલિંગ કરવા માટે આગર મશીન વહેલી સવારે સ્થળ પર દોડી આવ્યું હતું. તેમણે કહ્યું કે હાલમાં અગર ડ્રિલિંગ મશીન માટે પ્લેટફોર્મ બનાવવામાં આવી રહ્યું છે. નિષ્ણાતો અને એન્જિનિયરો પણ જરૂરી સાધનો સાથે સ્થળ પર પહોંચી ગયા છે.
આ પણ વાંચો: AMCએ નિયમો નેવે મૂક્યાઃ 13 કરોડનું ટેન્ડર બારોબાર પધરાવાયું
આ પણ વાંચો: મ્યાનમારમાં હવાઈ હુમલો થતા 2000થી વધુ નાગરિકોનો ભારતીય સીમમાં પ્રવેશ
આ પણ વાંચો: સીએમ ભુપેન્દ્ર પટેલે પંચનાથ મંદિરે દર્શન કરી લોકોને નવા વર્ષની શુભેચ્છા પાઠવી

