સસ્પેન્ડ/ અલગાવવાદી નેતા ગિલાનીના પૌત્રને સરકારી નોકરીમાંથી કરવામાં આવ્યો બરતરફ,આતંકવાદીઓને સમર્થન કરતો હતો

ગિલાનના પૌત્ર અનીસ-ઉલ-ઇસ્લામને સરકારી નોકરીમાંથી બરતરફ કરવામાં આવ્યા છે. પૌત્રે ઘાટીમાં આતંકવાદને ટેકો આપવાની કિંમત ચૂકવી છે.

Top Stories

અલગાવવાદી નેતા સૈયદ અલી શાહ ગિલાનના પૌત્ર અનીસ-ઉલ-ઇસ્લામને સરકારી નોકરીમાંથી બરતરફ કરવામાં આવ્યા છે. પૌત્રે ઘાટીમાં આતંકવાદને ટેકો આપવાની કિંમત ચૂકવી છે.

અલગાવવાદી નેતા સૈયદ અલી શાહ ગિલાનીના પૌત્ર અનીસ-ઉલ-ઇસ્લામને જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદને ટેકો આપવાના આરોપસર સરકારી નોકરીમાંથી બરતરફ કરવામાં આવ્યો છે. વહીવટી અધિકારીએ શનિવારે આ માહિતી આપી. અધિકારીએ જણાવ્યું હતું કે અનીસ સંશોધન અધિકારી તરીકે કામ કરતો હતો.

ઉલ્લેખનીય છે કે અલગાવવાદી નેતાઓનું પાકિસ્તાન કનેકશન જગ જાહેર છે ,ગિલાનીને પણ પાકિસ્તાનના પ્રમુખ સમર્થક માનવામાં આવતા હતા. આ ગિલાનીનું થોડા મહિના પહેલા જ નિધન થયું છે. નોધનીય છે કે ગિલાની આતંકવાદી પ્રવૃતિને પણ સમર્થન આપતાં હતા તેના લીધે સરકારે તેમના વિરૂદ્વ કાર્યવાહી પણ કરી હતી.

જમ્મુ કાશ્મીરના અલગાવવાદી નેતાઓ પર ભારતીય તપાસ એજન્સીઓએ સિકંજો કસ્યો છે. EDએ ઘાટીના અલગાવવાદી નેતા સૈયદ અલી શાહ ગિલાની વિરુદ્ધ ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ(FEMA) હેઠળ 14.40 લાખ રૂપિયાનો દંડ લગાવ્યો હતો.
તપાસ એજન્સીએ 87 વર્ષીય અલગાવવાદી નેતાને ફેમાની અલગ-અલગ જોગવાઇઓ હેઠળ નોટિસ મોકલી હતી. તેટલું જ નહી EDએ JKLFના પૂર્વ ચેરમેન યાસિન મલિક પાસેથી મળેલી અવૈધ વિદેશી મુદ્રાને જપ્ત કરીને સાથે જ તેને દંડ ફટકાર્યો અને મલિક વિરુદ્ધ કાયદાકિય કાર્યવાહી શરૂ છે. નોંધનીય છે કે, NIA અને અન્ય એજન્સીઓ ઘાટીમાં ટેરર ફંડિંગની તપાસ કરી રહી છે. સુરક્ષા એજન્સીઓએ આ દરમિયાન અલગાવવાદી નેતાઓની પુછપરછ કરી છે.