Not Set/ શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રાએ શર્લિન ચોપરા પર 50 કરોડનો માનહાનિનો કેસ દાખલ કર્યો

શર્લિનએ પોતાની ફરિયાદમાં રાજ અને શિલ્પા પર જાતીય સતામણી અને અંડરવર્લ્ડને ધમકી આપવાનો આરોપ લગાવ્યો હતો.

Entertainment
Untitled 379 શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રાએ શર્લિન ચોપરા પર 50 કરોડનો માનહાનિનો કેસ દાખલ કર્યો

શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રાએ શર્લિન ચોપરા સામે 50 કરોડનો માનહાનિનો દાવો દાખલ કર્યો છે. મળતા રિપોર્ટ મુજબ શર્લિનએ ગયા અઠવાડિયે જુહુ પોલીસ સ્ટેશનમાં રાજ કુન્દ્રા વિરુદ્ધ બીજી વાર FIR નોંધાવી હતી. શર્લિનએ પોતાની ફરિયાદમાં રાજ અને શિલ્પા પર જાતીય સતામણી અને અંડરવર્લ્ડને ધમકી આપવાનો આરોપ લગાવ્યો હતો. શિલ્પા-રાજના વકીલોએ પહેલા તેને ચેતવણી આપી હતી કે તમે ખોટી વાતો ન ફેલાવો છતાં પણ તેને પ્રેસ કોન્ફરન્સ કરી. ત્યાર બાદ રાજ અને શિલ્પાએ સાથે મળીને આ નિર્ણય લીધો છે.

શર્લિનએ પોલીસને કરેલી ફરિયાદમાં કહ્યું હતું કે તેણે રાજ કુન્દ્રાની ‘જેએલ સ્ટ્રીમ’ કંપની માટે 3 વીડિયો શૂટ કર્યા હતા, પરંતુ રાજે તેને રૂપિયા ચૂકવ્યા ન હતા. ફરિયાદમાં અભિનેત્રીએ કહ્યું હતું કે, ‘રાજ કુન્દ્રા મોડેલો અને બીજી અન્ય સ્ત્રીઓના વીડિયો બનાવી પછી તેને રૂપિયા ચુક્વતો નથી.

શિલ્પા અને રાજના વકીલે એક નિવેદન જારી કરીને કહ્યું હતું કે, ‘શર્લિન ચોપરા જે પણ નિવેદન આપી રહી છે, તે કાયદાના દાયરામાં હોવું જોઈએ. રાજ કુન્દ્રા સામે પત્રકાર પરિષદ યોજવી તેને બદનામ કરવાના ષડયંત્રનો એક ભાગ છે. શર્લિન ચોપરા દ્વારા જાહેરમાં કહેલી દરેક બાબતોનો ઉપયોગ તેની સામે કોર્ટમાં કરવામાં આવશે. તેમની વિરુદ્ધ નાગરિક અને ફોજદારી કાર્યવાહી હેઠળ કેસ નોંધવામાં આવશે. જયારે આજે આ વસ્તુ હકીકતમાં બની ગઈ છે.