બુલંદ શહેરમાં થયેલી હિંસા બાદ બાદ એસએસપી કૃષ્ણબહાદુર સિંહને ટ્રાન્સફર કરી દેવાયા છે. એમની જગ્યાએ હવે સીતાપુર એસપી પ્રભાકર ચૌધરીને બુલંદ શહેરનાં નવા એસએસપી તરીકે નિયુક્ત કરવામાં આવ્યાં છે.
જયારે કૃષ્ણ બહાદુર સિંહને લખનઉનાં ડીજીપી મુખ્યાલયમાં ટ્રાન્સફર કરી દેવામાં આવ્યાં છે. આ પહેલાં બે પોલીસ અધિકારીઓને ટ્રાન્સફરકરી દેવામાં આવ્યાં હતા. ડીજીપી એસબી શીરાડકર, સીઓ સત્ય પ્રકાશ અને ચિંગરાવઠી પોલીસચોકીનાં ઇન્ચાર્જ સુરેશ કુમાર એમનાં વિસ્તારમાં બગડેલી સ્થિતિ સંભાળવા માટે નાકામ રહ્યાં એ બદલ ટ્રાન્સફર કરી દેવાયા હતા.
બુલંદ શહેરમાં 3 ડિસેમ્બરે હિંસા થઇ હતી. આ હિંસક વિરોધમાં પોલીસ સુબોધ સિંહ અને એક સ્થાનિક યુવાનનું મૃત્યુ થયું હતું. આ ઘટનાને યુપીનાં સીએમ યોગી આદિત્યનાથે હિંસા ગણાવાને બદલે દુર્ઘટના ગણાવી છે.