નવી દિલ્હીઃ સંસદના પાંચ દિવસીય વિશેષ સત્રના ત્રીજા દિવસે લોકસભામાં રજૂ કરાયેલા મહિલા અનામત બિલ પર ચાર્ચા ચાલી રહી છે જ્યારે ગુરૂવારે રાજ્યસભામાં ચર્ચા થશે. આજે સવારે 11:00થી સાંજે 6:00 વાગ્યા સુધી લોકસભામાં મહિલા અનામત બિલ પર થશે ચર્ચા.
બિલ પર ચર્ચા દરમિયા સોનિયા ગાંધીએ કહ્યું મહિલા આરક્ષણનું બિલ રાજીવ ગાંધી જ લાવ્યા હતા. સંસદમાં 7 મતથી આ બિલ પડી ભાંગ્યુ હતુ. ત્યાર બાદ આ બિલ પસાર કરવામાં આવ્યુ છે. રાજીવ ગાંધીનું સપનું અડધુ સાકાર થયુ છે. આ બિલ પસાર થતા તેમનું સપનું પૂરું થશે.
કોંગ્રેસ આ બિલનું સમર્થન કરે છે. પણ કોંગ્રેસ કેટલાક સવાલો પણ પૂછવા માગે છે. હજુ કેટલા વર્ષ મહિલાઓને રાહ જોવી પડશે. સોનિયા ગાંધીએ બિલ પર ચર્ચા દરમિયાન SC-ST અને OBC વર્ગો માટે પણ અનામતની માગ કરી છે. પોતાના ટુંકા સંબોદનમાં સોનિયા ગાંધીએ કહ્યું કે આ મારા જીવનની માર્મિક ક્ષણ છે.
સોનિયા ગાંધીએ બિલ તાત્કાલિક પાસ થવા સહિત જાતિ ગણતરી કરીને SC, ST અને OBC અનામતની વ્યવસ્થા કરવી જોઈએ. બિલને પૂર્ણ કરવા માટે સરકારે જે પણ પગલાં લેવાની જરૂર છે તે લેવા જોઈએ. આ બિલમાં વિલંબ કરવો એ મહિલાઓ સાથે અન્યાય સમાન છે.
સોનિયા ગાંધીના સંબોધન પર પ્રતિક્રિયા આપતા બીજેપી સાંસદ નિશિકાંત દુબએ પુછ્યું કે કોંગ્રેસે પોતાના કાર્યકાળમાં મહિલાઓને આરક્ષણ કેમ આપ્યું નહીં અને પોતાના બિલમાં SC, ST અને OBC અનામતની વ્યવસ્થા કેમ કરી નહીં.
હાલ લોકસભામાં મહિલાઓની સ્થિતિત શું છે?
હાલમાં લોકસભામાં 82 મહિલા સાંસદ છે, આ બિલ પાસ થયા બાદ સંસદમાં 181 મહિલા સાંસદો હશે. આ અનામત સીધા ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ માટે લાગુ પડશે. રાજ્યસભા અને રાજ્યોની વિધાનસભાને લાગુ પડશે નહીં.
2024ની લોકસભાની ચૂંટણીમાં લાગુ થશે!
સામાન્ય ચૂંટણી પહેલા વસ્તી ગણતરી અને સીમાંકન કરવું લગભગ અશક્ય છે. જો વિધાનસભા અને લોકસભાની ચૂંટણી સમયસર થશે તો આ વખતે અનામત લાગુ નહીં થાય.આ બિલ 2029ની લોકસભા ચૂંટણી અથવા તે પહેલાંની કેટલીક વિધાનસભા ચૂંટણીઓથી લાગુ થઈ શકે છે.
બિલ વિધાન પરિષદમાં લાગુ નહીં થાય
આરક્ષણ ફક્ત સીધા ચૂંટાયેલા ગૃહો એટલે કે લોકસભા અને વિધાનસભામાં જ લાગુ થશે. આ અનામત રાજ્યસભા અને વિધાન પરિષદોમાં લાગુ થશે નહીં. સીમાંકન બાદ મહિલાઓ માટે અનામત બેઠકો નક્કી કરવામાં આવશે. આ બિલ આગામી 15 વર્ષ સુધી અમલી રહેશે. ત્યાર પછી સંસદમાં ઠરાવ પસાર કરીને ફરી અનામત વધારી શકાશે.
અટલજીની સરકારમાં લવાયું હતું બિલ
પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે મહિલા આરક્ષણ માટે દાયકાઓથી પ્રયાસો થઈ રહ્યા છે, પરંતુ તે ક્યારેય ગૃહમાં પસાર થઈ શક્યું નથી. આ બિલ 1996માં અટલ બિહારી વાજપેયીની સરકાર દરમિયાન લાવવામાં આવ્યું હતું, પરંતુ ત્યારથી ઘણા પ્રયત્નો કરવામાં આવ્યા છે, તેમ છતાં બિલ અટવાયું હતું. હવે આ નવા ઘરમાંથી આ પવિત્ર કાર્ય થશે. પીએમ મોદીએ કહ્યું કે કદાચ ભગવાને મને આવા કેટલાક પવિત્ર કાર્યો માટે પસંદ કર્યો છે.