ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ જોહાનીસ્બર્ગમાં રમાઈ રહેલી મેચમાં એક નવા આઈડીયા સાથે મેદાન પર કોઈ પણ સ્પિનરોને ઉતાર્યા વગર મેચ રમશે.
કોહલીએ રોહિત શર્માની જગ્યાએ અજિન્કય રહાણે અને સ્પિનર બોલર અશ્વિનની જગ્યાએ ભુવનેશ્વર કુમારને મેદાન પર ઉતાર્યો છે.
આ બીજો એવો 6 વર્ષ પછી મોકો છે, કે સ્પિનરો વગર મેદાન પર ઉતરશે. આ પહેલા 2012માં ઓસ્ટ્રેલિયા સામે પર્થ ટેસ્ટમાં ટીમ ઇન્ડિયાએ સ્પિનરો વગર મેદાન પર મેચ રમી હતી.
2012માં પર્થ મેદાન પર 4 ફાસ્ટબોલરો ઉતર્યા હતાં, જેમાં ઝહીર ખાન, ઇશાંત શર્મા, ઉમેશ યાદવ, અને વિનય કુમારને મોકો આપ્યો હતો.
