સુપ્રિમ કોર્ટે વકિલો ને કામથી અળગા રહેવા અને હડતાલ પર ન ઉતરી શકવાનો ચુકાદો જાહેર કર્યો છે. આ ચુકાદાનો મામલો ગરમાયો છે. વકીલોએ દેશભરમાં આવેદન આપી વિરોધનો રોષ ઠાલવી રહ્યા છે. જેના ભાગ રૂપે અમદાવાદ શહેરમાં વકિલો ગાંધી આશ્રમ ખાતે એકઠા થયા હતા. અને કલેક્ટરને આવેદન આપ્યુ હતુ.
આ મામલે બાર કાઉન્સિલના ચેરમેન દિપેન દવે એ જણાવ્યુ હતુ કે સુપ્રિમ કોર્ટના ચુકાદાથી લોકશાહી નુ હનન થયુ છે. બંધારણના આપવામા આવેલા સંવૈધાનિક નિયમોનો ભંગ થયો છે. પ્રજાના પ્રશ્ને વાચા આપવા માટે તેઓ સુપ્રિમ કોર્ટ ના ચુકાદાનો વિરોધ કરી રહ્યા છે. દિપેન દવે એ દેશભરના વકિલો વતી જણાવ્યુ હતુ કે દેશભરમાં 17 મી સપ્ટેમ્બરે વિરોધ કરી રહ્યા છે.
જો તેની માંગ નહિ સ્વિકારમાં આવે તો ઓક્ટોબર મહિનામાં દેશભરમાંથી 2 લાખ જેટલા વકીલો રસ્તા પર ઉતરી આવશે અને ઉગ્ર આંદોલન કરશે.