ભારતમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો થઇ રહ્યો છે, કોરોનાના કેસમાં હવે નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે, જે સારી વાત છે છેલ્લા 24 કલાકમાં ભારતમાં કોરોના વાયરસના 4,575 નવા કેસ નોંધાયા છે. ગઈકાલ કરતાં 14.6 ટકા વધુ કેસ નોંધાયા છે. નવીનતમ કેસ સાથે, દેશમાં સક્રિય કેસોની સંખ્યા 46,962 થઈ ગઈ છે. સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, ભારતમાં છેલ્લા 24 કલાકમાં આ વાયરસના કારણે 145 લોકોના મોત થયા છે અને મૃત્યુ દર 1.20 ટકા નોંધાયો છે. તે જ સમયે, કોરોના વાયરસના કારણે કુલ 515,355 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.
છેલ્લા 24 કલાકમાં 7,416 લોકો કોરોના વાયરસથી સાજા થયા છે અને આ સમયગાળા દરમિયાન રિકવરી રેટ 98.69% નોંધાયો છે. ડેટા અનુસાર, દેશમાં અત્યાર સુધીમાં કુલ 42,413,566 લોકો સંક્રમણ મુક્ત થયા છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ 42,975,883 આ વાયરસથી પ્રભાવિત થયા છે.
દેશવ્યાપી રસીકરણ અભિયાન હેઠળ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 18,69,103 લોકોને કોરોના સામે રસી આપવામાં આવી છે. અત્યાર સુધીમાં કુલ 1,79,33,99,55 લોકોને કોરોનાની રસી આપવામાં આવી છે. જણાવી દઈએ કે ગઈકાલે કોરોના વાયરસના 4,362 નવા કેસ નોંધાયા હતા. જ્યારે આ સમયગાળા દરમિયાન કોરોનાને કારણે 66 લોકોના મોત થયા છે. જ્યારે સુધારેલા લોકોની સંખ્યા 9,620 નોંધાઈ હતી