દ્વારકા માં ભગવાન કૃષ્ણના 5,245માં જન્મોત્સવને લઈને ભક્તો માં તો અનેરો ઉત્સાહ છે. પરંતુ કાનુડાની નગરીમાં તંત્ર દ્વારા પણ ઉજવણીને લઈને તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. જન્માષ્ટમીના તહેવાર અનુલક્ષીને જીલ્લા કલેક્ટર અને પોલીસ દ્વારા સુરક્ષાને લઈને ખાસ એક્શન પ્લાન તૈયાર કરાયો છે.
![દ્વારકા: કૃષ્ણ જન્મોત્સવને લઈને તડામાર તૈયારી, તંત્ર દ્વારા તૈયારીઓને અપાયો આખરી ઓપ 3 dwarkadhish temple દ્વારકા: કૃષ્ણ જન્મોત્સવને લઈને તડામાર તૈયારી, તંત્ર દ્વારા તૈયારીઓને અપાયો આખરી ઓપ](https://api.mantavyanews.in/wp-content/uploads/2018/08/dwarkadhish-temple.jpg)
દૂર દૂરથી આવતા ભક્તો ની સુરક્ષાને લઈને 500થી વધુ પોલીસ કર્મીઓ સુરક્ષા માટે ખડેપગે રહેશે. આપને જણાવી દઈએ કે જન્માષ્ટમી દરમિયાન સાતમ અને આઠમના દિવસે નવા ગોમતી ઘાટે દ્વારકા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. તેમજ પોલીસ દ્વારા ભાવિક ભક્તો માટે હેલ્પ લાઈનની પણ વ્યવસ્થા કરેલ છે.