વડોદરાના પાદરા નજીકથી એક સનસનીખેજ ઘટના સામે આવી છે. મહીસાગર નદી કિનારે પ્રેમી પંખીડાએ આત્મહત્યા કરી હોવાનું જાણવા મળ્યું છે. મળતી વિગતો મુજબ પાદરાના મુજપુર બ્રિજ પાસે આ બનાવ બન્યો છે.
પાદરાના મુજપુર બ્રિજ પાસે, મહીસાગર નદી કિનારે પ્રેમી પંખીડાએ ઝાડ પર લટકીને આત્મહત્યા કરી છે. આ ઘટનાની જાણ થતા જ પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
જાણવા મળતી વિગતો મૂજબ આત્મહત્યા કરવાવાળા પ્રેમી પંખીડાઓમાં પ્રેમી યુવક અપરિણીત હોવાનું, તેમજ પ્રેમિકા યુવતી પરિણીત હોવાનું રહસ્ય ખુલ્યું છે.
પોલીસે આ યુવક તેમજ યુવતી વિષે વધારે માહિતી મેળવવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. આત્મહત્યા પાછળનું કારણ હજુ સામે આવ્યું નથી.
