સુરતના ડભોલી વિસ્તારમાં આવેલી બિલ્ડીંગમાં ભીષણ આગ લાગવાનો બનાવ બન્યો હતો.. આગમાં 20થી વધુ લોકો ફસાયા હોવાની માહિતી સામે આવી રહી છે. ત્રીજા માળે લોકો ફસાયા હોવાની જાણકારી સામે આવી રહી છે.
આગ કયા કારણોસર લાગી તે હજુ અકબંધ છે. જાનહાનીનો કોઈપણ બનાવ નોંધાયો નથી. ઘટનાની જાણ થતાં ફાયરબ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે પહોચી હતી અને આગને કાબૂમાં મેળવી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર બિલ્ડીંગના બેઝમેન્ટમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો.