Sabarkantha News : સાબરકાંઠામાં તલાટી કમ મંત્રી લાંચ લેતા ઝડપાઈ ગયા હતા. એન્ટી કરપ્શન બ્યુરો(એસીબી)ને ઉપિયાદ મળી હતી કે સાંબરકાંઠાના તલાટી કમ મંત્રી જીતેન્દ્ર પટેલ એક વ્યક્તિ પાસે લાંચ માંગી રહ્યા છે. આ અંગે આ વ્યક્તિએ એસીબીમાં ફરિયાદ નોંધાવી હતી.જેને આધારે એસીબીના અધિકારીઓએ હિંમતનગર તાલુકાની ગ્રુપ ગ્રામ પંચાયતમાં છટકુ ગોઠવ્યું હતું.
જેમાં રૂ.500 ની લાંચ લેતા તલાટી કમ મંત્રી જીતેન્દ્ર પટેલ ઝડપાઈ ગયા હતા.તલાટી કમ મંત્રી એસીબીની ટ્રેપમાં ફસાતા હડકંપ મચી ગયો હતો. બીજીતરફ લાંચિયા સરકારી કર્મચારીઓમાં પણ ફફડાટ વ્યાપી ગયો હતો.
આ પણ વાંચો: રાદડિયાનો વળતો પ્રહારઃ ઇફકોની ચૂંટણીમાં ખોડલધામ પરથી વોટ ન આપવા અપીલ થઈ હતી
આ પણ વાંચો: શહેરમાં પાણીજન્ય રોગચાળાએ માથું ઉચકયું, દર્દીઓની સંખ્યા વધી, કોલેરાનાં 3 કેસ
આ પણ વાંચો: રાજકોટ ગેમિંગ ઝોન અગ્નિકાંડના પીડિતોને સીએમ ભુપેન્દ્ર પટેલ મળ્યાં
