સાઉથની પ્રખ્યાત ટીવી અભિનેત્રી વીજે ચિત્રાએ નઝરેથપેટાઇની એક હોટલમાં આત્મહત્યા કરી લીધી છે. આપને જણાવી દઈએ કે, 28 વર્ષીય વીજે ચિત્રા એક ફિલ્મના શૂટિંગ પછી હોટલમાં તેની મંગેતર સાથે રોકાઈ હતી અને તે જ હોટલના રૂમમાં મોડી રાત્રે તેણે સાડીથી ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આપઘાતનું કારણ જાણી શકાયું નથી. સૌ પ્રથમ, આ ઘટનાની જાણકારી ચિત્રાના મંગેતર હેમંથ આપી હતી. પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે.
ચિત્રા તમિળ ઉદ્યોગની જાણીતી અભિનેત્રી હતી. તેણે તમિલ ટીવી ચેનલ પરની હિટ સિરિયલ પંડિયાનમાં લોકપ્રિય મુલાઈની ભૂમિકા ભજવી હતી, જેના કારણે તે ઘર ઘરમાં જાણીતી થઇ હતી. આપને જણાવી દઈએ કે તેમણે થોડા સમય પહેલા ઉદ્યોગપતિ હેમંથ સાથે સગાઈ કરી હતી. સગાઈ બાદ પણ તે ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત હતી.
ચિત્રાના મંગેતર હેમંથે જણાવ્યું હતું કે ચિત્રા એક ફિલ્મનું શૂટિંગ કરી રહી હતી જેના કારણે તે છેલ્લા કેટલાક દિવસોથી આ જ હોટલમાં રોકાઈ હતી. મોડી રાત્રે તે ઇવીપી ફિલ્મ સિટીથી ફિલ્મના શૂટિંગ બાદ હોટલના રૂમમાં પરત આવી હતી અને તેણે હેમંથને કહ્યું હતું કે તે ફ્રેશ થઇ ને આવે છે. જ્યારે તે વધુ સમય સુધી પાછી ન આવી ત્યારે હેમંથે વોશરૂમનો દરવાજો ખટખટાવ્યો. જવાબ ન મળતાં હેમંથે હોટલ સર્વિસ બોલાવી અને ડુપ્લિકેટ ચાવીની મદદથી બાથરૂમનો દરવાજો ખોલ્યો. દરવાજો ખોલ્યા બાદ ચિત્રા અંદર સાડીથી લટકતી મળી આવી હતી. તેને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવી હતી.
એક્ટ્રેસ દિવ્યા ભટનાગરનું કોરોનાથી નિધન, દેવોલિના ભટ્ટાચાર્જીએ પોસ્ટ શેર કરી આપી માહિતી
ભારતી-હર્ષનો રોમેન્ટિક વીડિયો વાયરલ, એક બીજાને KISS કરતા જોવા મળ્યા
હિના ખાને ટોપલેસ ફોટા કર્યા શેર, સોશિયલ મીડિયા પર થયા વાયરલ
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…