ગુજરાત/ તાપી-પાર-નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ ચૂંટણીને લીધે સ્થગિત કર્યો છે : શકિતસિંહ ગોહિલ

કોંગ્રેસના પ્રવક્તા અને રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલે સંયુક્ત પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે ગુજરાતમાં પાર-તાપી નર્મદા લિંક પ્રોજેક્ટ સામે આદિવાસી નેતાઓએ આંદોલન શરૂ કર્યું હતું

Top Stories Gujarat
2 52 તાપી-પાર-નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ ચૂંટણીને લીધે સ્થગિત કર્યો છે : શકિતસિંહ ગોહિલ

કોંગ્રેસે   તાપી-પાર-નર્મદા રિવર લિંક પ્રોજેક્ટને આદિવાસીઓના હિતની વિરુદ્ધ ગણાવ્યો છે. કોંગ્રેસે જણાવ્યું કે આ પ્રોજેક્ટને સંપૂર્ણપણે રદ્દ કરવામાં આવે તેમજ જ્યાં સુધી પ્રોજેક્ટ રદ ન થાય ત્યાં સુધી તે આંદોલન ચાલુ રાખશે.કોંગ્રેસના પ્રવક્તા અને રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલે સંયુક્ત પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે ગુજરાતમાં પાર-તાપી નર્મદા લિંક પ્રોજેક્ટ સામે આદિવાસી નેતાઓએ આંદોલન શરૂ કર્યું હતું. આગામી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને નુકસાન થશે તેવું લાગ્યું ત્યારે તેને મોકૂફ રાખવાની જાહેરાત કરવામાં આવી હતી. આ જાહેરાત સરકાર દ્વારા નહીં પરંતુ તેના બદલે ભાજપના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે કરી હતી.

શક્તિસિંહ ગોહિલે  કહ્યું હતું કે, કોંગ્રેસ વિકાસની વિરુદ્ધ નથી, પરંતુ જો કોઈ થોડા મૂડીવાદીઓને ફાયદો કરાવવા હજારો આદિવાસી પરિવારોને નુકસાન પહોંચાડવાની વાત કરશે તો અમે તેનો  વિરોધ કરીશું. ગુજરાત વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા સુખરામ રાઠવાએ આક્ષેપ કર્યો હતો કે, ભાજપ સરકાર આદિવાસી હિતોની વિરુદ્ધ કામ કરી રહી છે જેની સામે અમે આંદોલન કરી રહ્યા છીએ. કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલે કહ્યું કે, સરકારે પ્રોજેક્ટ રદ કરવા માટે શ્વેતપત્ર લાવવું જોઈએ.

દક્ષિણ ગુજરાત માટે અતિ મહત્વની એવી તાપી-પાર-નર્મદા રિવર લિંક  યોજના સ્થગિત કરવામાં આવી છે. ગુજરાત વિધાનસભામાં નાણાં પ્રધાન કનુ દેસાઈએ તે અંગેની સત્તાવાર જાહેરાત કરી હતી. રાજ્યના આદિવાસી સમાજના લોકો તાપી-પાર-નર્મદા રિવર લિંક યોજનાનો લાંબા સમયથી વિરોધ કરી રહ્યાં હતા.