T20WC2024/ વાવાઝોડાંના લીધે બાર્બાડોઝમાં ટીમ ઈન્ડિયા ખરાબ રીતે ફસાઈ

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે T20 વર્લ્ડ કપની ફાઈનલ મેચ બાર્બાડોઝના બ્રિજટાઉનમાં યોજાઈ હતી. આ મેદાન પર ભારતીય ટીમ દક્ષિણ આફ્રિકાને હરાવીને વર્લ્ડ ચેમ્પિયન બની હતી અને તમામ ખેલાડીઓએ ખૂબ જ ઉજવણી કરી હતી. આ પછી ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ, તેમના પરિવારજનો અને સપોર્ટ સ્ટાફ ભારત જવા રવાના થવાના હતા ત્યારે બાર્બાડોસમાં તોફાનની જાહેરાત થઈ. આ કારણે હાલમાં તમામ એરપોર્ટ બંધ છે અને ફ્લાઈટ્સ રદ કરવામાં આવી છે.

Top Stories India Trending Breaking News Sports
Beginners guide to 67 વાવાઝોડાંના લીધે બાર્બાડોઝમાં ટીમ ઈન્ડિયા ખરાબ રીતે ફસાઈ

બાર્બાડોઝઃ ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે T20 વર્લ્ડ કપની ફાઈનલ મેચ બાર્બાડોઝના બ્રિજટાઉનમાં યોજાઈ હતી. આ મેદાન પર ભારતીય ટીમ દક્ષિણ આફ્રિકાને હરાવીને વર્લ્ડ ચેમ્પિયન બની હતી અને તમામ ખેલાડીઓએ ખૂબ જ ઉજવણી કરી હતી. આ પછી ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ, તેમના પરિવારજનો અને સપોર્ટ સ્ટાફ ભારત જવા રવાના થવાના હતા ત્યારે બાર્બાડોસમાં તોફાનની જાહેરાત થઈ. આ કારણે હાલમાં તમામ એરપોર્ટ બંધ છે અને ફ્લાઈટ્સ રદ કરવામાં આવી છે. કોઈને પણ ઘરની બહાર નીકળવાની મનાઈ ફરમાવવામાં આવી છે, તેથી સમગ્ર વિસ્તારમાં કર્ફ્યુ જેવો માહોલ છે. આ જ કારણ છે કે ટીમ ઈન્ડિયા તેની હોટલના રૂમમાં ફસાઈ ગઈ છે.

ટીમ ઈન્ડિયાએ પેપર પ્લેટમાં ડિનર લીધું હતું

બાર્બાડોસમાં વાવાઝોડાની ચેતવણી જારી કરવામાં આવી છે. અહેવાલો અનુસાર હરિકેન બેરીલ 6 કલાકમાં બાર્બાડોસની ધરતી પર ત્રાટકશે. આવી સ્થિતિમાં, સાવચેતી રાખીને, તમામ એરપોર્ટ બંધ કરી દેવામાં આવ્યા છે અને લોકોને તેમના ઘરમાં રહેવાની સલાહ આપવામાં આવી છે. આથી ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ, સપોર્ટ સ્ટાફ, બીસીસીઆઈના અધિકારીઓ અને તેમના પરિવારો સહિત કુલ 70 સભ્યોને હોટલના રૂમમાં બંધ કરી દેવામાં આવ્યા છે. હોટેલ પણ ખૂબ જ ઓછા સ્ટાફ અને મર્યાદિત સંસાધનો સાથે ચલાવવામાં આવી રહી છે. રિપોર્ટ્સ અનુસાર, આ કારણથી ટીમ ઈન્ડિયાએ રાત્રે લાઈનમાં ઉભા રહીને પેપર પ્લેટમાં ડિનર લેવું પડ્યું હતું.

બીસીસીઆઈએ પ્લાન બદલી નાખ્યો

BCCIએ કહ્યું કે તે બાર્બાડોસમાં આવેલા તોફાનમાંથી ખેલાડીઓ સહિત તમામ સ્ટાફને બહાર કાઢવાના તમામ પ્રયાસો કરી રહ્યું છે. આ માટે તેણે પોતાનો પ્લાન પણ બદલ્યો છે. પીટીઆઈના અહેવાલ મુજબ, તક મળતાની સાથે જ તમામ 70 સભ્યોને હવે ચાર્ટર ફ્લાઈટ દ્વારા બ્રિજટાઉન, બાર્બાડોસથી સીધા નવી દિલ્હી લાવવામાં આવશે. તમને જણાવી દઈએ કે સામાન્ય રીતે જ્યારે ભારતીય ટીમ વિદેશથી પરત આવે છે ત્યારે તે મુંબઈ એરપોર્ટ પર ઉતરે છે. જો કે, આ વખતે તમામ ખેલાડીઓ નવી દિલ્હી આવશે, કારણ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તે બધાને મળી શકે છે. 2011માં પણ જ્યારે ટીમ ઈન્ડિયા ચેમ્પિયન બની ત્યારે એમએસ ધોની સહિત સમગ્ર ટીમ નવી દિલ્હીમાં તત્કાલિન રાષ્ટ્રપતિ અને વડાપ્રધાનને મળી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: રોહિત પછી કોણ બનશે ટીમ ઈન્ડિયાનો આગામી કેપ્ટન, લિસ્ટમાં સામેલ 4 ખેલાડીઓ

આ પણ વાંચો: ખુદ સૂર્યકુમારના શબ્દોમાં તે કેચની વાર્તા… જેણે મેચને ભારતની તરફેણમાં બદલી નાખી

આ પણ વાંચો: રોહિત શર્માએ પીચને આ રીતે કર્યું નમન, VIDEO જોઈને તમે પણ થઈ જશો ભાવુક

આ પણ વાંચો: રોહિત-વિરાટ સિવાય આ દિગ્ગજની સફરનો પણ અંત આવ્યો, T20 વર્લ્ડ કપ પૂરો થતાં જ તેને લીધો સન્યાસ