તેલંગાણાનાં શ્રમ મંત્રી મલ્લા રેડ્ડીએ મંગળવારે કહ્યું કે, હૈદરાબાદ દુષ્કર્મ કેસનાં આરોપીઓને “એન્કાઉન્ટરમાં મારવામાં આવશે.” હૈદરાબાદનાં સૈદાબાદમાં 6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યાનાં કેસ વિશે પૂછવામાં આવતા મલ્લા રેડ્ડીએ કહ્યું કે, અમે ચોક્કસપણે આરોપીની ધરપકડ કરીશું અને તેનુ એન્કાઉન્ટર કરીશું.
Telangana: Hyderabad City Police has announced a reward of Rs 10 lakhs for information leading to the arrest of Pallakonda Raju (30) who allegedly raped & murdered a 6-year-old girl in Saidabad area of the city pic.twitter.com/R9jJTpKcZl
— ANI (@ANI) September 15, 2021
આ પણ વાંચો – ગાંધીનગર / આજે યોજાશે ગુજરાતનાં મંત્રીમંડળની શપથવિધિ, મોટાભાગનાં સિનિયરોને પડતા મુકવાનો વ્યૂહ
હૈદરાબાદમાં 6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યાનાં કેસમાં આરોપીઓની શોધ તેજ કરવામાં આવી છે. ફરાર આરોપીને પકડવા માટે રૂપિયા 10 લાખનું ઈનામ રાખવામાં આવ્યું છે. હૈદરાબાદ સિટી પોલીસે શહેરનાં સૈદાબાદ વિસ્તારમાં 6 વર્ષની બાળકી સાથે કથિત રીતે દુષ્કર્મ અને હત્યા કરનાર પલ્લકોંડા રાજુ (30) ની ધરપકડ કરવા માટે માહિતી આપનારને 10 લાખ રૂપિયાનાં ઇનામની જાહેરાત કરી છે. અહીં સરકારનાં મંત્રીએ કહ્યું કે, હૈદરાબાદની છોકરીની હત્યા કરનાર વ્યક્તિને કડક સજા મળવી જોઈએ. એટલું જ નહીં, તેમણે વધુમાં કહ્યું કે, અમે તેની ધરપકડ કરીશું અને પછી એન્કાઉન્ટર કરીશું. અમે આરોપીઓને છોડશું નહીં. પોલીસે એક પ્રકાશનમાં જણાવ્યું હતું કે, ગંભીર પ્રયાસો છતાં આરોપી હજુ ફરાર છે. તેમણે કહ્યું કે, આરોપીની ઉંમર 30 વર્ષની આસપાસ છે અને તે દારૂડીયો છે અને ફૂટપાથ અને બસ સ્ટેન્ડ પર સુવે છે. તેનું નામ પલ્લકોંડા રાજુ છે. જેઓ તેનું ઠેકાણું જણાવશે તેમને 10 લાખનું ઈનામ આપવામાં આવશે.
#Telangana Minister Malla Reddy said the 30 year old accused in the rape and murder of a 6-year-old girl in #Hyderabad “will be killed in an encounter.”#Hyderabad. pic.twitter.com/Xf1qohdv4r
— Ashish (@KP_Aashish) September 14, 2021
આ પણ વાંચો – પરિણામ / JEE Main 2021 નું પરિણામ જાહેર, 44 વિદ્યાર્થીઓએ આ સત્રમાં મેળવ્યા 100 ટકા
અહીં તેલંગાણા સરકારનાં શ્રમ મંત્રી મલ્લા રેડ્ડીએ આ મામલે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, હૈદરાબાદની યુવતીની હત્યા કરનાર વ્યક્તિને કડક સજા મળવી જોઈએ. એટલું જ નહીં, તેણે વધુમાં કહ્યું કે, અમે તેની ધરપકડ કરીશું અને પછી એન્કાઉન્ટર કરીશું. અમે આરોપીઓને છોડશું નહીં. અહીં, આ વિસ્તારનાં રહેવાસીઓએ આ ઘટનાને લઈને વિરોધ શરૂ કર્યો છે. તેઓએ ગુનેગારોને તાત્કાલિક અને કડક સજાની માંગ સાથે સાત કલાક સુધી ચંપાપેટ-સાગર રોડ પર ધરણા કર્યા હતા. પ્રદર્શનકારીઓને શાંત કરવા માટે હૈદરાબાદ જિલ્લા કલેક્ટર એલ. શર્મન અને નાયબ પોલીસ કમિશ્નર રમેશ રેડ્ડી ત્યાં પહોંચ્યા હતા. તેમણે પીડિત પરિવારને આવાસ યોજના હેઠળ મકાન આપવાની ખાતરી આપી હતી. આ સાથે, પીડિતાનાં માતા-પિતાનાં અન્ય બાળકોને શિક્ષણની સુવિધાઓ આપવામાં આવશે. સરકાર દ્વારા પરિવારને તાત્કાલિક 50,000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવી હતી.
