Not Set/ જમ્મુ કાશ્મીરના પંપોરમાં આતંવાદી હૂમલો, ત્રણ જવાન શહિદ

જમ્મુ કાશ્મીરઃ શ્રીનગર-જમ્મૂ રાષ્ટ્રીય રાજમાર્ગ પર પંપોરમાં આતંકવાદીઓએ હૂમલો કર્યો હતો. સેનાના એક કાફલા પર થયેલા આતંકવાદી હૂમલામાં ત્રણ જવાન શહીદ થઇ ગયા હતા. પોલિસના એક અધિકારીએ જણાવ્યું હતું કે, આતંતવાદિઓએ બપોરે પંપોરનગર કદલાબલમાં સેનાના એક કાફલા પર ગોળીબારી કરી હતી. અધિકારીએ જણાવ્યું હતું કે, સુરક્ષા બળોએ આજુબાજુના રહેવાશી ક્ષેત્રોની ઘેરાબંધી કરી દીધી હતી. અને […]

India

જમ્મુ કાશ્મીરઃ શ્રીનગર-જમ્મૂ રાષ્ટ્રીય રાજમાર્ગ પર પંપોરમાં આતંકવાદીઓએ હૂમલો કર્યો હતો. સેનાના એક કાફલા પર થયેલા આતંકવાદી હૂમલામાં ત્રણ જવાન શહીદ થઇ ગયા હતા.

પોલિસના એક અધિકારીએ જણાવ્યું હતું કે, આતંતવાદિઓએ બપોરે પંપોરનગર કદલાબલમાં સેનાના એક કાફલા પર ગોળીબારી કરી હતી. અધિકારીએ જણાવ્યું હતું કે, સુરક્ષા બળોએ આજુબાજુના રહેવાશી ક્ષેત્રોની ઘેરાબંધી કરી દીધી હતી. અને આતંકવાદીઓની ઘરપકડ માટે એક તપાસ અભિયાન ચલાવ્યું હતું.

સીઆરપીએફના આઇજી ઓપરેશન જુલ્ફીકાર હસને જણાવ્યું હતું કે, આતંકવાદ સામે લડવા માટે હમેશા અલર્ટ પર રહે છે. આતંકવાદી હૂમલા રોકવા માટે સેના પ્રયાસ કરી રહી છે. તેમણે જણાવ્યું હતુ કે, જે જગ્યાએ હૂમલો થયો છે. તે જગ્યાએ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત હતા. એટલા માટે કાર્યવાહિ ના કરી શક્યા. આતંકવાદીઓને શોધવા માટે તપાસ ચાલી રહિ છે.