તમે ટીવીના ખૂબ જ પ્રખ્યાત શો ‘નાગિન: ભાગ્ય કા ઝહેરીલા ખેલ’માં વિલનનો રોલ ભજવનાર અભિનેતા કુણાલ સિંહને ફરી એકવાર પડદા પર જોવા જઇ રહ્યા છો. હકીકતમાં, ટૂંક સમયમાં જ તે એકતા કપૂરના શો ‘પવિત્ર રિશ્તા 2’ માં દેખાવા જઈ રહ્યો છે. મળતી માહિતી અનુસાર, અભિનેતા શોમાં અંકિતા લોખંડેના ઓન-સ્ક્રીન લવ ઇન્ટરેસ્ટના રોલમાં જોવા મળશે અને તેમાં કેમિયો રોલ હશે.
આ પણ વાંચો :મલાઈકા અરોરા દત્તક લેવા માંગે છે બાળકી, દીકરા સાથે કરી ચર્ચા
એકતા કપૂરના આ શો વિશે વાત કરતાં કુણાલ સિંહે ખાસ એવું કહ્યું હતું કે ‘હું અર્ચનાના બૉયફ્રેન્ડ ગૌરવનું પાત્ર ભજવી રહ્યો છું. આ એક નાનકડું પાત્ર છે, પરંતુ જ્યાં સુધી હું આ શોમાં છું ત્યાં સુધી મને ખૂબ સારી સ્ક્રીન પ્રેઝન્સ આપવામાં આવી છે. સૌથી વધુ પસંદ કરવામાં આવેલા આ શોનો પાર્ટ બનવાની મને ખુશી છે. અંકિતા, ઉષામેંમ અને શાહીર શેખ સાથે કામ કરવાની પણ મને તક મળી રહી છે.
કુણાલ ‘સાથ નિભાના સાથિયા’ શોમાં ‘શ્રવણ સૂર્યવંશી’ ની ભૂમિકા માટે પણ જાણીતો છે. જ્યારે તેને ફરી એકતા કપૂર સાથે કામ કરવાની તક મળી ત્યારે તેને ઘરે પરત ફરવા જેવું જ લાગ્યું છે.
આ પણ વાંચો :એક નહીં પરંતુ સોશિયલ મીડિયા પર સારા અલી ખાનની છે બે હમશકલ, તમે પણ જુઓ
એકતામેમ સાથે કામ કરવું એ દરેક ઍક્ટરનું ડ્રીમ હોય છે. મારા માટે આ ઘરે આવવા બરાબર છે. તેમનું પ્રોડક્શન-હાઉસ દરેક ટૅલન્ટને ફૅમિલીની જેમ ટ્રીટ કરે છે.’
આપને જણાવી દઈએ કે, ‘પવિત્ર રિશ્તા 2’ આ વખતે ડિજિટલ પ્લેટફોર્મ પર પ્રસારિત થશે અને ટીવી પર એપિસોડ નહીં બતાવાય. ‘પવિત્ર રિશ્તા’ની વાત કરીએ તો, આ શો 2009માં શરૂ થયો હતો. અંકિતા અને સુશાંતે અર્ચના-માનવ બનીને દર્શકોના દિલમાં ખાસ સ્થાન બનાવ્યું હતું. જોકે, બાદમાં સુશાંતે ફિલ્મો કરવા માટે શો છોડી દીધો હતો અને તેના બદલે હિતેન તેજવાનીએ માનવનો રોલ કર્યો હતો. 2014માં આ સીરિયલનો છેલ્લો એપિસોડ પ્રસારિત થયો હતો.
આ પણ વાંચો :આમિર ખાને સિનેમાઘરો બંધ હોવાને લઇ ચિંતા વ્યક્ત કરી, કહ્યું…
આ પણ વાંચો :એક્શન મોડમાં સારા અલી ખાન, વીરાંગના ફોર્સ સાથે આવશે નજર