સાબરકાંઠાના પ્રાંતિજમાં યુવાનની લાશ મળી આવી. પ્રાંતિજના દલપુર પાસે યુવાનની લાશ ઝાડ પર લટકતી મળતા ચકચાર મચી જવા પામી. દલપુર પાસે ઝાડ પર ગળે ફાંસો ખાધેલ હાલતમાં યુવાનની લાશ મળી આવતા સ્થાનિક લોકોએ પોલીસની સાથે ૧૦૮ને પણ જાણ કરી.
પ્રાંતિજ પોલીસ ઘટના સ્થળે પહોચી વધુ તપાસ હાથ ધરી. પોલીસે ઘટનાની પ્રાથમિક તપાસ કરતાં ફાંસો ખાધેલ યુવાનની લાશની બાજુમાં દવાની બોટલ પણ મળી આવી હતી. આ મામલે પોલીસ તપાસ કરશે કે યુવાનની હત્યા થઈ છે કે પછી તેણે આત્મહત્યા કરી છે. હાલમાં પોલીસ તમામ થિયરી પર તપાસ હાથ ધરી છે કેમ કે હજુ સુધી પોલીસને કોઈ સુસાઈડ નોટ નથી મળી.
રાજ્યમાં હત્યા જેવી ગુનાહિત પ્રવૃત્તિઓ વધવા સાથે આત્મહત્યાના બનાવો પણ વધ્યા છે. સામાન્ય બાબતમાં થોડી તકરાર થાય છે અને આ તકરાર કેટલીક વખત ગંભીર પરિણામો લાવે છે. તકરારમાં સામેલ જૂથો વચ્ચે હિંસક મારામારીના બનાવો બનતા છરીના ઘા ઝીંકાય છે તો કેટલીક વખત અદાવત રાખી ફાયરિંગ પણ કરવામાં આવે છે. તો કેટલાક બનાવોમાં પ્રેમ પ્રકરણ અને આર્થિક તંગીના કારણે લોકો આત્મહત્યા જેવું અંતિમ પગલું ભરતા હોય છે. પ્રાંતિજમાં મળેલ યુવાનની લાશને લઈને પોલીસ હત્યા કે આત્મહત્યા છે તે મામલે તપાસ કરશે.
આ પણ વાંચો: અંબાજીમાં ભાદરવી પૂનમનો મેળો ક્યારથી થશે શરૂ?
આ પણ વાંચો: ફ્રાન્સના એમ્બેસેડર યુત ડૉ. થિયરી માથૌ ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૌજન્ય મુલાકાતે
આ પણ વાંચો: આયુર્વેદિક દવાની આડમાં આલ્કોહોલ યુક્ત પીણાનો ગેરકાયદે ધંધો
આ પણ વાંચો: અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસ્યો વરસાદ, અનેક જગ્યાએ ભરાયા પાણી