જો કોઈ વ્યક્તિને મૃત જાહેર કરવામાં આવે છે, તો તેનો અર્થ એ કે તેનું મગજ કામ કરવાનું બંધ કરી દે છે અને તે લગભગ મરી ગયો છે, તે કિસ્સામાં ફક્ત મગજ શરીરની અંદર કામ કરતું નથી જ્યારે બાકીના અંગો જેવા હૃદય, લીવર અને કિડની કામ કરતા રહે છે. એ સમયે દર્દી શ્વાસ, શારીરિક પ્રવૃત્તિ અને પ્રતિક્રિયા કરવાનું બંધ કરે છે. પરંતુ વિચારો કે જો બ્રેઇન ડેડ વ્યક્તિને પોસ્ટમોર્ટમ માટે લેવામાં આવે અને તેનું શરીર ચાલવાનું શરૂ કરે તો શું થશે.? આ વાત સાચી છે.
કર્ણાટકની એક ખાનગી હોસ્પિટલમાં એક 27 વર્ષીય વ્યક્તિને ડૉકટરોએ બ્રેઇન ડેડ જાહેર કર્યો હતો. પોસ્ટમોર્ટમ માટે તેને એટોપ્સી સેન્ટર લઈ જવામાં આવ્યો હતો. જ્યાં પોસ્ટમોર્ટમ શરૂ થાય તે પહેલાં જ તે માણસના હાથમાં રુવાટા ઉભા થયા હતા અને હલનચલન પણ જોવા મળી હતી. આ જોઈને ડૉક્ટરો આશ્ચર્યચકિત થઇ ગયા, ત્યારબાદ તેને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડાયો. જ્યાં તેની સારવાર ચાલી રહી છે.
એક્સ ગર્લફ્રેન્ડને પાછી મેળવવા માટે આ શખ્સે એવું કામ કર્યુ કે તમામ લોકો વખાણ કરતા રહ્યા…
કર્ણાટકના મહાલિંગપુરમાં શંકર ગોંબી એક અકસ્માતનો ભોગ બન્યો. બાદમાં તેને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. બે દિવસ પછી, શંકર ગોંને બ્રેન ડેડ જાહેર કર્યા પછી, હોસ્પિટલ મેનેજમેન્ટે શંકરના પરિવારજનોને તેનો મૃતદેહ લઈ સરકારી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરાવવા કહ્યું. શંકરનો પરિવાર અને સબંધીઓ તેના અંતિમ સંસ્કારની તૈયારી કરી રહ્યા હતા. મહાલિંગપુરની સરકારી હોસ્પિટલમાં જે બન્યું તેનાથી તમામ ચોંકી ગયા.
પોસ્ટમોર્ટમ દરમિયાન શંકરે તેનો હાથ જોરશોરથી હલાવ્યો. શંકરનો પરિવાર તેને બીજી ખાનગી હોસ્પિટલમાં લઈ ગયો, જ્યાં બે દિવસની સારવાર બાદ તેનું શરીર હલનચલન કરી રહ્યું હતુ. ત્યારબાદ પલ્સ-ઓક્સિમીટરથી પરીક્ષણ કર્યું અને હૃદયના ધબકારા પણ જોવા મળ્યા. સરકારી દવાખાનાના ડૉ.એ.એસ. ગાલગલીએ જણાવ્યું હતું કે મેં મારી 18 વર્ષની કારકિર્દીમાં 400 થી વધુ પોસ્ટમોર્ટમ કર્યા છે, પરંતુ આ પ્રકારનો કેસ પહેલી વખત જોયો છે.