કોરોના મહામારી સામે શરૂ કરાયેલા કોરોના રસીકરણ અભિયાન હેઠળ રસી ન લગાવનારાઓ સામે કડક પગલા લેવાનો વિશ્વનો પ્રથમ કેસ અમેરિકામાંથી સામે આવી રહ્યો છે. કોરોનાની રસી લેવાનો ઇનકાર કરવા બદલ અમેરિકામાં 27 વાયુ સૈનિકોને હાંકી કાઢવાનો મામલો સામે આવ્યો છે. વિશ્વમાં આ પ્રકારનો આ પહેલો કેસ છે, જેમાં એન્ટી-કોરોના રસી ન મેળવનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે.
આ પણ વાંચો –જમ્મુ-કાશ્મીર / પુલવામામાં બુધવારે મધ્યરાત્રિથી શરૂ થયેલા એન્કાઉન્ટરમાં એક આતંકી ઠાર
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, યુએસ એરફોર્સે તેના સૈનિકોનો 2 નવેમ્બર સુધીમાં એન્ટી-કોરોના રસી લેવાનો સમય નક્કી કર્યું હતું. જો કે, અહીં હજારો સૈનિકોએ રસી લેવાનો ઇનકાર કર્યો હતો અથવા તેમાંથી છૂટ માંગી હતી. યુએસ એરફોર્સનાં પ્રવક્તા એન સ્ટીફનેકે મીડિયાને જણાવ્યું હતું કે, તે પ્રથમ વાયુ સૈનિક છે જેને રસી સંબંધિત કારણોસર કાઢી મૂકવામાં આવ્યા છે. વળી, સંરક્ષણ પ્રધાન લોયડ ઓસ્ટિને કહ્યું કે સુરક્ષા દળોનાં સ્વાસ્થ્ય માટે અને રાષ્ટ્રીય સુરક્ષા સંકટનો સામનો કરવા માટે રસીકરણ અત્યંત મહત્વપૂર્ણ છે. યુએસ એરફોર્સનાં પ્રવક્તા એન સ્ટેફનેકે કહ્યું કે, આ વાયુ સૈનિકોને સમજાવવાની તક આપવામાં આવી હતી કે તેઓને શા માટે રસી લગાવી નથી, પરંતુ કોઈએ આ સંદર્ભમાં તેમનો ખુલાસો આપ્યો ન હતો. આપને જણાવી દઈએ કે, અમેરિકાનાં 97 ટકા સૈનિકોને રસી આપવામાં આવી છે. વળી, અત્યાર સુધીમાં વિવિધ દળોમાં તૈનાત 79 અમેરિકન સૈનિકો કોરોના ચેપને કારણે મૃત્યુ પામ્યા છે.
આ પણ વાંચો –સાવધાન! / દુનિયાનાં 77 દેશ સુધી પહોંચ્યો ઓમિક્રોન, બૂસ્ટર ડોઝ પણ બેઅસર
આ સાથે, વહીવટીતંત્ર યુએસ પ્રાંત કેલિફોર્નિયામાં કોરોના વાયરસનાં નવા વેરિઅન્ટ ઓમિક્રોનનાં વધતા કેસોને ધ્યાનમાં રાખીને ફરજિયાતપણે માસ્ક પહેરવાના નિયમને ફરીથી લાગુ કરવાની તૈયારી કરી રહ્યું છે. કેલિફોર્નિયાનાં ગવર્નર ગેવિન ન્યૂઝમનાં વહીવટીતંત્રએ જાહેરાત કરી છે કે ફરજિયાત માસ્ક પહેરવાનો નવો નિયમ બુધવાર 15 જાન્યુઆરી સુધી અમલમાં રહેશે. આ નિયમ એવા સમયે લાગુ કરવામાં આવી રહ્યો છે જ્યારે રજાઓ શરૂ થવા જઈ રહી છે અને લોકોની અવર-જવર વધવાને કારણે કોરોના વાયરસનાં સંક્રમણનાં કેસોમાં નોંધપાત્ર વધારો થવાની સંભાવના વધી ગઈ છે.