National News: ભારતીય સેના એ જમ્મુ નજીક પાકિસ્તાની ચોકીઓ અને આતંકવાદી લોન્ચ પેડ્સનો નાશ કર્યો છે. આ સ્થળોએથી ટ્યુબ લોન્ચ ડ્રોનનો ઉપયોગ કરીને ભારતમાં ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો. સંરક્ષણ સૂત્રોના જણાવ્યા અનુસાર, ભારતીય હુમલાઓમાં પાકિસ્તાનમાં ઓછામાં ઓછા ચાર એરબેઝને નિશાન બનાવવામાં આવ્યા હતા. દરમિયાન, શ્રીનગર અને આસપાસના વિસ્તારોમાં પાકિસ્તાન સાથે ભારે અથડામણ ચાલી રહી હોવાના અહેવાલ પણ મળ્યા હતા. સેનાએ આ વિસ્તારમાં સપાટીથી હવામાં પ્રહાર કરતી મિસાઇલ સિસ્ટમ સક્રિય કરી છે.
આ પહેલા પાકિસ્તાને ગઈકાલે રાત્રે 26 સ્થળોએ હુમલો કર્યો હતો. આ પછી ભારતે વળતો જવાબ આપ્યો. નિયંત્રણ રેખા (LoC) પર ઘણી જગ્યાએ વચ્ચે-વચ્ચે ગોળીબાર થઈ રહ્યો છે. આ મામલે એક સત્તાવાર મીડિયા બ્રીફિંગ પણ યોજાવાની હતી. જોકે, હવે તેને આજે સવાર સુધી મુલતવી રાખવામાં આવ્યું છે. સંરક્ષણ સૂત્રોના જણાવ્યા અનુસાર, નિયંત્રણ રેખા (LoC) અને આંતરરાષ્ટ્રીય સરહદ (IB) પરના ભારતીય શહેરો પર પાકિસ્તાન સેના દ્વારા કરવામાં આવેલા ડ્રોન હુમલાના પગલે ભારતીય સેના જમ્મુ સેક્ટરમાં જોરદાર જવાબી કાર્યવાહી કરી રહી છે.
આ પણ વાંચો:આતંકવાદી મસૂદ અઝહરના ઘરે મૃતદેહોની લાઇન… ઓપરેશન સિંદૂર પછી પાકિસ્તાનમાંથી આ તસવીરો આવી સામે
આ પણ વાંચો:વિસ્ફોટોનો અવાજ, સાયરનનો પડઘો… પાકિસ્તાનના લાહોરમાં ગભરાટ, વિસ્ફોટ પછી ચારેય તરફ ધુમાડો, ધુમાડો
આ પણ વાંચો:ભારતના મિસાઈલ હુમલા પછી પાકિસ્તાન પાસે માત્ર 35 દિવસ બાકી છે, જાણો શું થશે?
