Not Set/ અમાસ પિતૃઓની પૂજાનું પર્વ, વિશેષ પૂજા કરવાથી વધે છે સુખ-સમૃદ્ધિ

જ્યોતિષમાં અમાસને રિક્તા તિથિ કહેવામાં આવે છે, એટલે આ તિથિમાં કરેલાં કામનું ફળ મળતું નથી. અમાસના દિવસે મહત્ત્વપૂર્ણ ખરીદી-વેચાણ અને દરેક પ્રકારના શુભકામ કરવામાં આવતાં નથી

Dharma & Bhakti
1 અમાસ પિતૃઓની પૂજાનું પર્વ, વિશેષ પૂજા કરવાથી વધે છે સુખ-સમૃદ્ધિ

અમાસના દિવસને ધર્મગ્રંથોમાં પર્વ કહેવામાં આવે છે. આ તિથિએ પિતૃઓની ખાસ પૂજા કરવામાં આવે છે. જ્યોતિષની દૃષ્ટિએ આ દિવસે સૂર્ય અને ચંદ્ર એક જ રાશિમાં આવી જાય છે. આ બંને ગ્રહો વચ્ચેનું અંતર 0 ડિગ્રી થઈ જાય છે. દર મહિને અમાસના દિવસે કોઈને કોઈ વ્રત કે પર્વ ઊજવવામાં આવે છે. આ તિથિ પિતૃઓની પૂજા માટે ખાસ માનવામાં આવે છે. એટલે આ દિવસે પિતૃઓની વિશેષ પૂજા કરવાથી સુખ અને સમૃદ્ધિ વધે છે

અમાસના દિવસે પિતૃઓ કરે છે અમૃતપાન

આ તિથિમાં પિતૃ અમૃતપાન કરીને એક મહિના સુધી સંતુષ્ટ રહે છે. સાથે જ પિતૃગણ અમાસના દિવસે વાયુ સ્વરૂપમાં સૂર્યાસ્ત સુધી ઘરના દરવાજા ઉપર રહે છે અને પોતાના કુળના લોકો દ્વારા શ્રાદ્ધની ઇચ્છા રાખે છે. આ દિવસે પિતૃ પૂજા કરવાથી ઉંમર વધે છે. પરિવારમાં સુખ અને સમૃદ્ધિ વધે છે. વિષ્ણુ, મત્સ્ય અને ગરૂડ પુરાણમાં ઉલ્લેખવામાં આવ્યો છે કે વદ પક્ષની બીજથી ચૌદશ સુધી દેવતા ચંદ્રથી અમૃતપાન કરે છે. તે પછી ચંદ્ર સૂર્ય મંડળમાં પ્રવેશ કરે છે અને સૂર્યની અમા નામની કિરણમાં રહે છે. ત્યારે તે અમાસ તિથિ કહેવાય છે.

આ કારણે પડ્યું અમાસ નામ

2 અમાસ પિતૃઓની પૂજાનું પર્વ, વિશેષ પૂજા કરવાથી વધે છે સુખ-સમૃદ્ધિ

મત્સ્ય પુરાણના 14માં અધ્યાયની કથા પ્રમાણે પિતૃઓની એક માનસ કન્યા હતી. તેણે ખૂબ જ કઠોર તપસ્યા કરી. તેને વરદાન આપવા માટે વદ પક્ષની પંદરમી તિથિએ બધા જ પિતૃગણ આવ્યાં. તેમાં ખૂબ જ સુંદર અમાવસુ નામના પિતૃને જોઇને તે કન્યા આકર્ષિત થઇ ગઇ અને તેની સાથે લગ્ન કરવાની ઇચ્છા વ્યક્ત કરી. પરંતુ અમાવસુ લગ્ન માટે ના પાડી દીધી. અમાવસુના ધૈર્યના કારણે તે દિવસની તિથિ પિતૃઓ માટે ખૂબ જ પ્રિય થઇ. ત્યારથી જ અમાવસુના નામથી આ તિથિ અમાસ કહેવાઇ.

અમાસને કહેવાય છે રિક્તા તિથિ

જ્યોતિષમાં અમાસને રિક્તા તિથિ કહેવામાં આવે છે, એટલે આ તિથિમાં કરેલાં કામનું ફળ મળતું નથી. અમાસના દિવસે મહત્ત્વપૂર્ણ ખરીદી-વેચાણ અને દરેક પ્રકારના શુભકામ કરવામાં આવતાં નથી. આ તિથિમાં પૂજા-પાઠનું વિશેષ મહત્ત્વ છે.જ્યોતિષમાં અમાસને શનિદેવની જન્મ તિથિ માનવામાં આવે છે.આ તિથિમાં પિતૃઓના ઉદેશ્યથી કરવામાં આવેલું દાન અક્ષય ફળદાયક રહે છે. સોમવાર અને ગુરુવારે આવતી અમાસને શુભ માનવામાં આવે છે.રવિવારે અમાસ હોવું અશુભ મનાય છે. આ તિથિએ ભગવાન શિવ અને પાર્વતી દેવીની વિશેષ પૂજા કરવાથી મનોકામનાઓ પૂર્ણ થાય છે.