દરેક ધર્મની પોતાની રીત-રિવાજો અથવા પરંપરાઓ હોય છે. આ રિવાજો જન્મ, લગ્નથી માંડીને મૃત્યુ સુધી જુદા જુદા દેખાઈ શકે છે. દરેક ધર્મમાં મૃત્યુ બાદ થતી અંતિમ મ વિધિ અલગઅલગ હોય છે. હિંદુ ધર્મમાં સામાન્ય રીતે અંતિમ સંસ્કાર એટલે કે મૃતદેહને અગ્નિદાહ આપવામાં આવે છે. જયારે મુસ્લિમ અથવા ખ્રિસ્તી ધર્મમાં મૃત્યુ પામે છે, ત્યારે મૃત શરીરને જમીનમાં દફનાવવામાં આવે છે.
પરંતુ હિંદુ ધર્મમાં નવજાત બાળકનું મૃત્યુ થાય છે, ત્યારે તેને અગ્નીદાનાથ નથી આપવામાં આવતો. તેને દફનાવવામાં આવે છે. આવી સ્થિતિમાં, ઘણા લોકોના મનમાં આ સવાલ ઉભો થાય છે કે, મૃત નવજાત બાળકને અગ્નિદાહ કેમ નથી આપવામાં આવતો.
હિન્દુ ધર્મમાં, મૃત લોકોને અગ્નીદાહ આપવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે અગ્નિ એ એક પ્રવેશદ્વાર છે, જેના દ્વારા કોઈ આધ્યાત્મિક વિશ્વમાં પ્રવેશ કરી શકે છે. આ ઉપરાંત, હિન્દુ ધર્મમાં, એવું પણ માનવામાં આવે છે કે અંતિમવિધિની વિધિઓ ખરેખર શરીરથી અલગ થવાનું એક પ્રકાર છે. આવી સ્થિતિમાં, જ્યારે શરીર બળીને રાખ થઈ જાય છે, તો તે વ્યક્તિની આત્માને કોઈ લગાવ હોતો નથી. આવી સ્થિતિમાં, તે તે શરીરને સરળતાથી છોડીને આધ્યાત્મિક વિશ્વ તરફ આગળ વધે છે અને મુક્તિ પ્રાપ્ત કરે છે.
હિંદુ ધર્મમાં નવજાત શિશુનું મોત થાય છે, ત્યારે તેને અગ્નીદાહ ને બદલે દફનાવવામાં આવે છે. આનું કારણ એ છે કે નવજાત બાળકની આત્મા તેના શરીર સાથે ઓછી જોડાયેલી હોય છે. તે ખૂબ જ ટૂંકા સમય માટે તે શરીર સાથે રહી છે, તેથી તેમાં એટલું આસક્તિ નથી અને તે સરળતાથી પોતાનું શરીર છોડી દે છે. આ એકમાત્ર કારણ છે કે હિન્દુ ધર્મમાં નવજાત અને સંતો અને પવિત્ર માણસોને મૃત્યુ પછી દફનાવવામાં આવે છે.