મુંબઇ: મહારાષ્ટ્રના રાયગઢથી એક આશ્ચર્યજનક કિસ્સો બહાર આવ્યો છે. ફ્રુટ વેચનારા વિસ્તારમાં દુકાનમાં રાખેલા પપૈયા ખાધા હોવાના કારણે તૌફીક બશીર મુજાવર નામના એક વ્યક્તિએગાયના પેટમાં છરી મારી હતી.
આ બનાવમાં જ્યારે આરોપી તેની દુકાન પર બેઠો હતો અને ત્યારબાદ ભૂખથી તડપતી ગાયે આવીને તેની દુકાનમાંથી પપૈયા ખાઇ લીધું હતુ. આ જોઈને બશીર ગુસ્સાથી ભરાઈ ગયો અને તેણે છરી વડે તેનું પેટ કાપી નાખ્યું.
પ્રત્યક્ષદર્શીઓનું કહેવું છે કે ગાયે પપૈયું ખાધા બાદ બશીર ગુસ્સામાં આવી ગયો હતો. આ ગુસ્સામાં તે અંદર આવી ગયો અને છરી લઈને આવ્યો. અને ત્યારબાદ ગાયનું પેટ કાપીને તેણે પપૈયુ કાઢી લીધુ અને પાછો તેની દુકાન પર જઇને બેઠો. ગાયનું વહેતું લોહી જોઇને નજીકના લોકો તેને સારવાર માટે હોસ્પિટલમાં લઈ ગયા હતા જ્યાં હજી તેની સારવાર કરવામાં આવી રહી છે.
ગાયના માલિક તરફથી બશીર મુજાવર વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપવામાં આવી છે, જેના આધારે પોલીસે બશીરની ધરપકડ કરી કોર્ટમાં કાર્યવાહી કરી હતી. કોર્ટે કેસ સાંભળ્યા બાદ આરોપીને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધો હતો. બશીરના આ કૃત્યથી દરેક વ્યક્તિ ચોંકી ગયા હતા. ગાયની હાલત હજુ નાજુક રહે છે અને ડૉકટરોના જણાવ્યા મુજબ તેને ગાયને દુખાવો ઓછો કરવા માટે ઇન્જેક્શન આપવામાં આવ્યા છે.