Delhi News : સુબ્રમણ્યમ સ્વામીએ હાલમાં લોકસભા ચૂંટણી 2024 દરમિયાન કોગ્રેસ નેતા રાહુલ ગાંધી અને તેની માતા સોનિયા ગાંધી પર નિશાન તાંક્યું છે. હાલમાં જ ઈન્ડીયન યુટ્યુબર રણવીર અલ્લાહબાદિયાના પોડકાસ્ટ શો ધ રણવીર શોમાં સ્વામીએ ભાગ લીધો હતો. શો દરમિયાન જ્યારે હોસ્ટ રણવીરે તેમને પૂછ્યું કે શું રાહુલ ગાંધીમાં તેમના પિતા રાજીવ ગાંધી જેવી કૂબી છે તો તેમણે કહ્યું કે ના એવું બિલ્કુલ નથી. તે બિલ્કુલ મૂર્ખ માણસ છે. તે સિવાય ટુટ્યુબરે સોનિયા ગાંધી બાબતે પણ સવાલ કર્યો ત્યારે પૂર્વ મંત્રીએ કહ્યું કે તેમની માતા નિરાશ છે અને પહેલા ભારત વિરોધી તાકાતો સાથે કામ કરતી હતી.
વધુમાં સોન્યા બાબતે કહંયું કે તે મજબૂરીને કારણે રાજનીતિમાં છે, નહી તો તે કથિત ભ્રષ્ટાચારથી છુપાવેલા પૈસા સાથે યુરોપ ભાગી ગયા હોત. શો માં સ્વામીએ એ વાતનો પણ ઉલ્લેખ કર્યો કે સ્વ.રાજીવ ગાંધી તેમના સારા મિત્ર હતા. આ નિવેદનથી જોડાયેલો કેટલાક હિસ્સાને સોશિયલ મિડીયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરવામાં આવ્યા છે. તેને મેઘા અપડેટ નામના એકાઉન્ટથી અપલોડ કરાયું છે. જોકે એશિયાનેટ ન્યૂઝ હિન્દી વિડીયોની પુષ્ટી કરતું નથી.
આ પણ વાંચો:પાટણમાં રાધનપુર હાઈવે પર સર્જાયો ત્રિપલ અકસ્માત
આ પણ વાંચો:શાંતિપૂર્ણ મતદાન માટે પોલીસ કમિશ્નર દ્વારા ખાસ માઈક્રોપ્લાનિંગ
આ પણ વાંચો:મતદાનના દિવસે હીટવેવની આગાહી, 44 ડિગ્રીએ પહોંચી શકે ગરમી