મોરબી શહેરનો ઐતિહાસિક ગણાતો એવો ઝૂલતો પુલ સમી સાંજે મચ્છુ નદીમાં બે કટકા થઇ ગયો હતો. આ સમયે પુલ પર મોટા પ્રમાણમાં સહેલાણીઓ હાજર હતા. પુલ તૂટતાં જ 400થી વધુ સહેલાણીઓ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. આ અકસ્માતમાં 50થી વધુ લોકોના મોત થયાની આશંકા છે. હાલમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી મોરબી જવા નીકળી ગયા છે. આ ઉપરાંત મુખ્યમંત્રી પણ મોરબી જવા રવાના થયા છે, અને સરકારે જે લોકોનું દુર્ઘનામાં મોત થયું છે તેમના પરિવારજનોને 4-4 લાખ આપવાની જાહેરાત કરી છે.જ્યારે ઇજાગ્રસ્તને 50 હજારની સહાયની જાહેરાત કરવામાં આવે છે.
મોરબીની દુર્ઘટનામાં જીવ ગુમાવનાર નાગરિકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું. રાજ્ય સરકાર પ્રત્યેક મૃતકના પરિવારજનને ચાર લાખ રૂપિયા અને ઇજાગ્રસ્તોને ૫૦,૦૦૦ રૂપિયાની સહાય આપશે.
— Bhupendra Patel (@Bhupendrapbjp) October 30, 2022