કર્ણાટકમાં હાલમાં ધાર્મિક ઉન્માદ વધુ જોવા મળી રહ્યો છે, આ રાજ્યમાં સામાન્ય બાબત હિંસા અને વિવાદમાં પરિવર્તિત થાય છે, તે છંતા આ રાજ્યના ચેન્નકેશવ મંદિરે તેની કુરાન પઠનની પંરપરા યથાવત રાખી છે. બેલુરમાં ઐતિહાસિક ચેન્નકેશવ મંદિર જમણેરી કાર્યકરોના વિરોધ છતાં, કુરાનના પાઠ કર્યા પછી રથોત્સવ બંધ કરવાની તેમની સદીઓ જૂની પરંપરા ચાલુ રાખી છે.
રાજ્યના એન્ડોમેન્ટ્સ વિભાગે બુધવારે મંદિર પ્રશાસનને કવાયત શરૂ કરવાની મંજૂરી આપી હતી. જિલ્લા પોલીસની કડક દેખરેખ હેઠળ બુધવારે વાર્ષિક ઉત્સવનો પ્રારંભ થયો હતો. બે દિવસીય કાર ફેસ્ટિવલના સાક્ષી બનવા માટે રાજ્યભરમાંથી સેંકડો લોકો ચેન્નકેશવ મંદિરે ઉમટી પડ્યા હતા.
લાંબા સમયથી, કુરાનમાંથી શ્લોક વાંચવાની પરંપરા છે જે અનુસરવામાં આવે છે. જો કે, આ વર્ષે, મૂંઝવણ હતી કારણ કે મંદિર સત્તાવાળાઓએ શરૂઆતમાં મુસ્લિમ વેપારીઓને સ્ટોલ ઉભા કરવાથી રોકવા માટે નોટિસ આપી હતી. જો કે, એન્ડોવમેન્ટ વિભાગે વિવિધ ધર્મગુરૂ પાસેથી સૂચનો લીધા અને પરંપરા ચાલુ રાખવાનું નક્કી કર્યું, આ અંગેની માહિતી અધિકારી આપી હતી.
પરંપરા મુજબ, એક મૌલવી ચેન્નકેશવ મંદિરમાં ઉજવણીની શરૂઆતને ચિહ્નિત કરવા માટે કુરાનના અંશો વાંચે છે. તાજેતરમાં, કર્ણાટકમાં સાંપ્રદાયિક તંગદિલીનો માહોલ જોવા મળી રહ્યો હોવાથી, જમણેરી કાર્યકરોએ જિલ્લા વહીવટીતંત્ર અને મંદિર સત્તાવાળાઓને વિનંતી કરી હતી કે મુસ્લિમ વેપારીઓને તહેવારમાં ભાગ લેવાથી પ્રતિબંધિત કરવામાં આવે.
જો કે, એન્ડોવમેન્ટ વિભાગના વરિષ્ઠ અધિકારીઓના જણાવ્યા અનુસાર, રાજ્ય એન્ડોવમેન્ટ વિભાગે મંદિર પ્રશાસનને કોઈપણ બિન-હિન્દુ વેપારીઓને પ્રતિબંધિત ન કરવા અને તેમને સ્ટોલ સ્થાપવા અને ઉજવણીમાં ભાગ લેવાની મંજૂરી આપવાનો નિર્દેશ આપ્યો હતો.