બ્રેક્ઝિટ એટલે કે યુરોપીયન યુનિયન થી અલગ થયા બાદ બ્રિટનમાં વોટીંગ કરાવવામાં આવ્યું હતું. જેના પરિણામે બ્રેક્ઝિટ ડીલ મોહર લગાવવામાં આવી છે.મહિનાઓ સુધી ચાલેલી અડચણ પછી, યુકે અને યુરોપિયન યુનિયન આખરે બ્રેક્ઝિટ ટ્રેડ ડીલ પર સંમત થયા છે. જે પછી બ્રિટન હવે યુરોપના સિંગલ માર્કેટમાં ભાગ નહીં લે. બ્રિટનની વડા પ્રધાન ઓફિસ 10 ડાઉનિંગ સ્ટ્રીટે આ વાતની પુષ્ટિ કરતાં કહ્યું કે અમે યુરોપિયન યુનિયન (ઇયુ) સાથેના વેપાર સોદાને અંતિમ સ્વરૂપ આપ્યું છે. અમે અમારા પૈસા, સરહદો, કાયદા, વેપાર અને મત્સ્યઉદ્યોગ જળચર વિસ્તાર પાછા ખેંચી લીધા છે. જેના પગલે લોકોએ રસ્તા પર આવી અને ખુશીઓ મનાવી હતી.
National / નેશનલ હાઈવેના મુસાફરો માટે 1 જાન્યુઆરીથી આ બાબત જરૂરી, નહિતર…
બ્રિટિશ વડા પ્રધાનની કચેરીએ કહ્યું કે આ સોદો એ યુકેના દરેક ભાગમાં રહેતા પરિવારો અને ઉદ્યોગો માટે એક ખૂબ જ મહત્વના સમાચાર છે. અમે પ્રથમ મફત વેપાર કરાર પર હસ્તાક્ષર કર્યા છે જે શૂન્ય ટેરિફ અને શૂન્ય ક્વોટા પર આધારિત છે. ઇયુ સાથે રહેતી વખતે આ કદી પ્રાપ્ત કરી શકી નહીં.બ્રેક્ઝિટ ટ્રેડ ડીલ બાદ ભારત બ્રિટન સાથે મુક્ત વેપાર કરાર કરી શકે છે. આ ભારત અને બ્રિટન વચ્ચે વેપાર વધારવામાં મદદ કરી શકે છે. બ્રિટન એક નાનો દેશ છે, પરંતુ તે એક કેન્દ્રિય બજાર છે. પોર્ટુગલ અને ગ્રીસ જેવા ઘણા દેશો બ્રિટનથી માલ લઈ જતા હોય છે. યુકે સાથે એફટીએ રાખવાથી ભારતને વિશાળ બજાર મળી શકે છે.
Birthday / ભારતનાં આદર્શ રાજપુરુષ “અટલ જી” નો આજે જન્મદિવસ,…
બ્રિટનના યુરોપિયન થી અલગ થવાને એક વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યું છે તેની પહેલાં જ આ ડીલને મહોર લાગી છે. જેના દ્વારા નિશ્ચિત થશે કે હવે બ્રિટન આગામી કેટલાક દિવસોમાં યુરોપિયન યુનિયનના ઇકોનોમિક સ્ટ્રક્ચર થી અલગ પડી જશે. જોકે 27 દેશોનું ગ્રુપ ઇયુ અને બ્રિટનની વચ્ચે ભવિષ્યમાં કેવા સબંધો હશે તે હજી કહી શકાય તેમ નથી.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…