- વૈજ્ઞાનિકોએ ત્રણ નવા ચંદ્રની શોધ કરી
- નેપ્ચ્યુન અને યુરેનસના ચંદ્રો શોધ્યા
- નેપ્ચ્યુનની નજીક બે ચંદ્ર શોધાયા
- દરિયાઈ તળની નીચેથી માળખું મળ્યું
- આ માળખું હજારો વર્ષથી વધુ જૂનું છે
- પાષાણ યુગની જીવનશૈલી દેખાય છે
આપણું બ્રહ્માંડ રહસ્યોથી ભરેલું છે.તે કેટલું રહસ્યમય છે તે તમે એ હકીકત પરથી અનુમાન લગાવી શકો છો કે આપણે હજી સુધી સમગ્ર સૂર્યમંડળને બરાબર સમજી શક્યા નથી.તેવામાં વૈજ્ઞાનિકોએ ફરી એકવાર સૌરમંડળમાં અનોખી શોધ કરી છે.અને વૈજ્ઞાનિકોએ સૌરમંડળમાં બે ગ્રહોના ત્રણ નવા ચંદ્ર શોધી કાઢ્યા છે.ખગોળશાસ્ત્રીઓએ આપણા સૌરમંડળમાં ત્રણ ચંદ્રો શોધી કાઢ્યા છે જે અગાઉ અજાણ્યા હતા.ખગોળશાસ્ત્રીઓએ શોધેલા ત્રણ ચંદ્રો માથી બે ચંદ્ર નેપ્ચ્યુનની આસપાસ અને એક ચંદ્ર યુરેનસની આસપાસ ફરે છે.. તો ખગોળશાસ્ત્રીઓ દ્વારા હવાઈ અને ચિલીમાં શક્તિશાળી ગ્રાઉન્ડ-આધારિત ટેલિસ્કોપનો ઉપયોગ કરીને આ દૂરના નાના ચંદ્ર જોવામાં આવ્યા હતા અને આંતરરાષ્ટ્રીય ખગોળીય સંઘ (IAU) ના માઇનોર પ્લેનેટ સેન્ટરે શુક્રવારે તેની જાહેરાત કરી હતી.આ સાથે જ હવે નેપ્ચ્યુનની આસપાસ ફરતા ચંદ્રોની જાણીતી સંખ્યા 16 થઈ ગઈ છે અને યુરેનસની આસપાસ ફરતા ચંદ્રોની જાણીતી સંખ્યા 28 થઈ ગઈ છે.
તો આ શોધમાં મદદ કરનાર વોશિંગ્ટન સ્થિત કાર્નેગી ઇન્સ્ટિટ્યુશન ફોર સાયન્સના ખગોળશાસ્ત્રીનું કહેવું છે કે નેપ્ચ્યુનના બે નવા ચંદ્ર છે તેમાંના એકની અત્યાર સુધીની સૌથી લાંબી ભ્રમણકક્ષા છે.તેમણે એવું પણ સમજાવ્યું કે નાના બાહ્ય ચંદ્ર નેપ્ચ્યુન અને સૂર્યથી સૌથી દૂર સ્થિત વિશાળ બર્ફીલા ગ્રહની આસપાસ એક ક્રાંતિ પૂર્ણ કરવામાં લગભગ 27 વર્ષ લે છે… યુરેનસની પરિક્રમા કરતો નવો ચંદ્ર કદાચ ગ્રહના ચંદ્રોમાં સૌથી નાનો છે અને તેનો અંદાજિત વ્યાસ માત્ર પાંચ માઈલ એટલે કે આઠ કિલોમીટર જેટલો છે. તેમણે વધુમાં કહ્યું કે, ‘અમને લાગે છે કે હજી ઘણા નાના ચંદ્રો હોઈ શકે છે જે શોધવાના બાકી છે.
ત્યારે આ ચંદ્રોનો નવાં નામો પણ આપવામાં આવ્યા છે.નેપ્ચ્યુનના બે નવા ચંદ્રોમાંના સૌથી તેજસ્વીને કામચલાઉ રીતે S/2002 N5 નામ આપવામાં આવ્યું છે. આ ચંદ્ર 23 કિમી પહોળો છે અને તે 9 વર્ષનાં સમય ગાળામાં નેપ્ચ્યુનની આસપાસ એક પરિક્રમા પૂર્ણ કરે છે.અને બીજી તરફ હળવા પ્રકાશવાળા ચંદ્રને S/2021 N1 નામ આપવામાં આવ્યું છે.જ્યારે તેમના કાયમી નામો ગ્રીક પૌરાણિક કથાઓમાં દરિયાઈ દેવતાઓ અને અપ્સરાઓ પર આધારિત હશે.આપને જણાવી દઈએ કે આ ચંદ્રોની શોધ સ્કોટ શેપર્ડની સાથે મળીને નાસાની જેટ પ્રોપલ્શન લેબોરેટરીના મરિના બ્રોઝોવિક અને બોબ જેક્સને કરી છે.
તો નેપ્ચ્યુનના નવા ચંદ્રો સપ્ટેમ્બર 2021 માં જોવા મળ્યા હતા, શેપર્ડેનું કહેવું છે કે તે સંભવત 2003 માં પણ મળી આવ્યું હતું, પરંતું તે ગ્રહની આસપાસ ફરે છે કે નહીં તે નક્કી થાય તે પહેલાં જ તે અદૃશ્ય થઈ ગયું….આ ત્રણેય ચંદ્રોની ભ્રમણકક્ષા લંબગોળ છે, અને વૈજ્ઞાનિકોને તેમના અભ્યાસમાં જાણવા મળ્યું છે કે આ ચંદ્રો આ ગ્રહોની નજીક જન્મ્યા નથી, પરંતુ પછીથી ગુરુત્વાકર્ષણ દ્વારા પકડવામાં આવ્યા હતા….
તો બીજી તરફ નાસા થોડા મહિનાઓ પહેલા જ ઉલ્કાપિંડ બેનુનું સેમ્પલ પૃથ્વી પર લાવી હતી…અને હવે આ નમૂનાના ટુકડાઓનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. સાત વર્ષની લાંબી મુસાફરી પછી, 24 સપ્ટેમ્બર 2023 ના રોજ, ઉલ્કાના ટુકડાઓ ધરાવતું કેનિસ્ટર યુટાહ, યુએસએમાં ઉતર્યું હતું… ત્યારે વૈજ્ઞાનિકોનું માનવું છે કે તેમાં 4.5 અબજ વર્ષ પહેલા સૌરમંડળની રચના સંબંધિત પુરાવાના અવશેષો હોઈ શકે છે. તો યુનિવર્સિટી ઓફ એરિઝોનાની કુઇપર-એરિઝોના લેબોરેટરીના સંશોધકો અણુ સ્તર સુધી તેની તપાસમાં રોકાયેલા છે. શરૂઆતમાં, એરિઝોના યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોને વિશ્લેષણ માટે બેનું ઉલ્કાના 200 મિલિગ્રામના નમૂના મળ્યા હતા, જેમાં 28 કણો 1 સે.મી.થી મોટા છે, અને સૌથી મોટો કણ 3.5 સેન્ટિમીટરનો છે.
તો ઉલ્કાપિંડ બેનુના નમૂનાઓમાં માટી જેવા ખનિજો સાથે મિશ્રિત પાણીની વિપુલ માત્રા છે. અને તેઓ કાર્બન, નાઇટ્રોજન, સલ્ફર અને ફોસ્ફરસથી પણ ભરપૂર છે. આ નમૂનાઓ પૃથ્વી પર આવી સામગ્રીનો સૌથી મોટો પ્રાચીન ભંડાર છે. ત્યારે શંશોધકોનું કહેવું છે કે ‘અમે આમાં લાંબા સમય સુધી આમાં વ્યસ્ત રહીશું, કારણ કે આ અમારા માટે એક વિશાળ વોલ્યુમ છે. વિશ્વભરમાં બેંનુંના નમૂનાઓનો અભ્યાસ કરવામાં આવી રહ્યો છે, અને હજુ સુધી કોઈ ચોક્કસ વિગતો બહાર આવી નથી. ત્યારે આ વિશે વધુ માહિતી આગામી મહિને ટેક્સાસના ધ વૂડલેન્ડ્સમાં આયોજિત 55 મી ચંદ્ર અને ગ્રહ વિજ્ઞાન પરિષદમાં આપવામાં આવશે….અને આને લગતા તારણો માર્ચમાં જાહેર કરવામાં આવવાનાં છે એટલા માટે ટીમ ખુબ ઉત્સાહથી કામ કરી રહી છે… તો શંશોધકોનું કહેવું છે કે જો અમે માત્ર ઉલ્કાઓ પર આધાર રાખ્યો હોત, તો આપણી પાસે જે નમૂનાઓ છે તે ક્યારેય મળ્યા ન હોત. અવકાશમાંથી પડતી મોટાભાગની ઉલ્કાઓનાં મૂળને શોધવાનું સરળ નથી. આને લગતી એક મોટી માહિતી આપતાં શંશોધકોએ કહ્યું કે, ‘બેંનુંના નમૂનામાં ફોસ્ફેટ ક્રસ્ટ છે, જે અગાઉ ક્યારેય ઉલ્કાપિંડમાં જોવા મળ્યું નથી. ‘અવકાશ દરિયાઈ વિશ્વમાં ફોસ્ફેટની ઉચ્ચ સાંદ્રતા મળી આવી છે.’ ઉદાહરણ તરીકે, શનિનો ચંદ્ર એન્સેલેડસ, પૃથ્વીના મહાસાગરો કરતાં ઊંચા સ્તરે ફોસ્ફેટ્સ ધરાવે છે. તે જીવન માટે જરૂરી છે. તો એવી પણ શક્યતાઓ પણ ઉભી થઈ હતી કે બેનુ ઉલ્કાઓ પ્રાચીન સમુદ્રી વિશ્વનો ટુકડો હોઈ શકે છે. જોકે આને અટકળો પણ ગણાવાંમાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે હવે સંશોધકોએ પ્રથમ વખત એસ્ટરોઇડની સપાટી પર પાણીના અણુઓની હાજરી શોધી કાઢી છે. એસ્ટરોઇડ એ ગ્રહની રચનાની પ્રક્રિયાના અવશેષો છે, તેથી તેમની રચના સૌર નિહારિકામાં તેઓ ક્યાં રચાઈ તેના પર નિર્ભર કરે છે. વૈજ્ઞાનિકોને ખાસ કરીને ઉલ્કાઓ પર પાણી શોધવામાં રસ છે. પ્લેનેટરી સાયન્સ જર્નલમાં આ શોધ વિશે એક પેપર પ્રકાશિત કરવામાં આવ્યું છે. આ પેપરના મુખ્ય લેખક, અનિસિયા એરેડોન્ડોએ આ સંબંધિત માહિતી આપી હતી. સાઉથવેસ્ટ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ અનુસાર, સૂકા અથવા સિલિકેટ એસ્ટરોઇડ્સ સૂર્યની નજીક રચાય છે, અને બર્ફીલા પદાર્થો એકસાથે મળીને દૂરના લઘુગ્રહો બનાવે છે. સૌરમંડળમાં એસ્ટરોઇડ્સના સ્થાનો અને બંધારણોને જોવું એ આપણને જણાવે છે કે સૌર નિહારિકા જેણે તેમને બનાવ્યું તે કેવી રીતે વિસ્તર્યું. જો આપણે આપણા સૌરમંડળમાં પાણીના વિતરણને સમજીએ, તો તે આપણને અન્ય સ્ટાર સિસ્ટમ્સમાં વિતરણને સમજવામાં મદદ કરી શકે છે, જે એલિયન્સની શોધમાં પણ મહત્વપૂર્ણ હશે.
તો બીજી તરફ અવકાશ બાદ ઘરતી અને સમુદ્રમાં સતત સંશોધનો થઈ રહ્યાં છે અને સંશોધનનાં પરિણામો એ દલીલને ખુબ મજબૂત કરે છે કે પથ્થર યુગમાં જીવતા લોકોને આપણે જેટલો શ્રેય આપીએ છીએ તેના કરતાં તેઓ વધુ આધુનિક હતા અને તેઓ ઘણી બધી વસ્તુઓને જાણતો હતા.આ પુરવાર થાય છે કારણ કે યુરોપના લોકો હજારો વર્ષો પહેલા આપણે જે વિચારીએ છીએ તે વસ્તુઓ બનાવી રહ્યા હતા.
પૃથ્વીની નીચે બીજી દુનિયા હોઈ શકે છે, કારણ કે સમુદ્રના તળની તપાસ કરી રહેલા વૈજ્ઞાનિકોએ લાંબા સમયથી ખોવાયેલા પથ્થર યુગની ‘મેગાસ્ટ્રક્ચર’ શોધી કાઢી છે. દરિયાઈ ભૂસ્તરશાસ્ત્રી જેકોબ ગેરસન 2021ની શરૂઆતમાં જર્મનીની કીલ યુનિવર્સિટીમાં ભણાવતા હતા.તેમનાં દ્વારા બાલ્ટિક સમુદ્ર માં જહાજ ઉપર સંશોધન હાથ ધરવામાં આવ્યું હતું. ગેરસનના વિદ્યાર્થીઓએ ઉચ્ચ રીઝોલ્યુશન પર સમુદ્રના તળના આકારની છબી બનાવી.આ સંશોધન ક્રૂઝ કોઈ અપવાદ સાબિત થયું નથી. મેકલેનબર્ગના અખાતમાં, ઉત્તરી જર્મનીના કિનારે, વિદ્યાર્થીઓએ ઇકોસાઉન્ડર્સ ચાલુ કર્યા અને સમુદ્રના તળના એક ભાગને મેપ કર્યો. ગેરસન બીજા દિવસે, તેમણે ડેટા ડાઉનલોડ કર્યો અને તેમણે જે જોયું કે સમુદ્રના તળ પર કંઈક વિશેષ હતું.
તો ગેરસનને શંશોધન દરમીયાન દરીયાની તળ સપાટીમાંથી અડધા માઈલથી વધુ લાંબી પથ્થરની દિવાલ મળી છે.પત્થરની દિવાલ પાષાણ યુગની છે, જે દરીયાની સપાટીથી 70 ફૂટ નીચે છે, અને તે પૃથ્વી પરની સૌથી જૂની અને વિશાળ રચનાઓમાંની એક હતી.એક પ્રકાશિત થયેલા સંશોધનમાં, ગેર્સન અને તેના સાથીદારો કહે છે કે પ્રાચીન સ્થાપત્યનો આ ભાગ હરણના ટોળા અને શિકાર માટે ઉપયોગમાં લેવાયો હશે. તો ગેરસન ઇકોસાઉન્ડર પર ખડકો અને પત્થરો જોવા માટે ટેવાયેલો હતો કારણ કે બાલ્ટિક સમુદ્રના તળિયે પથરાયેલી કઠોર વિસંગતતાઓ, હજારો વર્ષ પહેલાં ઉત્તર યુરોપમાંથી હિમનદીઓ પીછેહઠ કરી ત્યારે પાછળ રહી ગઈ હતી.
ત્યારે ગેરસને એક વર્ષ પછી ફરીથી સાઇટની મુલાકાત લીધી હતી.ગેરસન અને વિદ્યાર્થીઓની નવી બેચ એ જ સાઇટ પર પરત ફરી હતી અને તેણે તેમનો કૅમેરો નીચે કર્યો અને પુષ્ટિ કરી હતી કે પર્વતમાળા હજારો ખડકોથી બનેલી છે, જે સરેરાશ 1.5 ફૂટ ઉંચી એક પ્રકારની દિવાલ બનાવે છે. જ્યારે એરિક્સને ડેટાની સમીક્ષા કરી ત્યારે ખાતરી થઈ કે આ માળખું પ્રાગૈતિહાસિક માનવીઓ દ્વારા બનાવવામાં આવ્યું હતું, જેમણે મોટા સ્થાવર ખડકોને દિવાલમાં જોડવા માટે ઘણાં નાના પથ્થરોનો ઉપયોગ કર્યો હતો. તેમનું કહેવું છે કે તેઓ UFOs માં માનતાં નથી, તેથી તે માનવસર્જિત હોવી જોઈએ. તે અને અન્ય પુરાતત્વવિદો સંમત થયા હતા કે 10,000 થી 11,000 વર્ષ પહેલા પથ્થર યુગ દરમિયાન શિકારીઓ દ્વારા દિવાલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
એરિક્સનના મતે, આટલી મોટી સંખ્યામાં એલ્કને મારવાનો એકમાત્ર રસ્તો તેમને શૂટિંગ બ્લાઇન્ડમાં લઈ જવાનો છે. જ્યાં એક બાજુ પથ્થરની દીવાલો અને બીજી બાજુ પાણી હશે અને હરણ દીવાલ અને પાણી વચ્ચે અટવાઈ ગયું હશે, જેથી શિકારીઓને હરણ પર ગોળીબાર કરવાની તક મળી હશે. એરિક્સન કહે છે કે આ પ્રાગૈતિહાસિક લોકો વિચરતી જાતીનાં હતા પરંતુ આ દિવાલ સૂચવે છે કે તેઓને નિયમિત સ્થળાંતરનો માર્ગ મળ્યો હશે, જે તેમને વર્ષ-દર વર્ષે આ સ્થાન પર પાછા લાવે છે.
આ પણ વાંચો: kisan andolan/ખેડૂત આંદોલનમાં Break, ખેડૂત સંગઠનના નેતાએ આંદોલન 29 ફેબ્રઆરી સુધી સ્થગિત રાખવા પર આપ્યું આ કારણ
આ પણ વાંચો: Asam/અસમ સરકારનો UCC મામલે મહત્વનો નિર્ણય, બહુપત્નીત્વ અને બાળ લગ્નોને રોકવામાં મહત્વપૂર્ણ ભૂમિકા રહેશે
આ પણ વાંચો: